________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખના પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ-રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિં, એવાભાવ આવ્યાથી આત્માનું સામાયક ખરેખર આત્મામાંજ અને છે. સમભાવરૂપ સામાયિકના હું કર્તાભાતા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે ગામવત્ સર્વમૂતેષુ ય: પતિ ન પતિ” એવી આત્મદૃષ્ટિ પ્રગટે છે, અને આત્માનું વીર્ય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એવા આત્મા કયેાગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતાલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતા એવા જ્ઞાની કાચલી અને ટોપરાની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે, અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદો પડી પેાતાનું આનન્દરૂપ પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણામ પામ્યાથી ગજસુકુમાલની પેઠે વા ર્સ્કક મુનિના પાંચસે શિષ્યાની પેઠે અનેક ઉપસર્ગા પડતાં છતાં પરમાત્મદશા પ્રગટાવી શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિના ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પેાતાના અનન્તાનન્દ જીવનના સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપયાગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકસમુદ્રમાં જન્મમરણુ એ કચરા જેવાં લાગે છે તેમજ શરીરદ્ધિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દધન પ્રગટે છે.
સામાચિકક્રિયા વિધિમતભેદની ચર્ચાના લેશમાં ચિત્ત, વાણી અને કાયાનેા વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપન્થમાં ગમન કરવાથી ખેદ-અરૂચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકના સાય્યાયયેાગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયા પ્રગટે એજ ખાસ વિચારવાચેાગ્ય છે. આત્માના શુદ્ધધર્મના ઉપયાગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણા વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં, ફરતાં, અને ખેલતાં સમભાવરૂપ સામાયિકના પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં સમભાવના
For Private And Personal Use Only