SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ સત્તાનું ધ્યાન ધરવું અને દયિકભાવ પર દ્રષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિકરૂપ પિતાના આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે ધર્મના હોય તે પણ તેની મુક્તિ થાય છે. सेयंवरो आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा । समभावभावी gr, ૪ર મુરર્વન સંરે શા શ્વેતાંબર હય, વા દિગંબર હોય, બિદ્ધ હોય અથવા અન્ય વેદાંતી, આર્યસમાજી, હિંદુ, પ્રીતિ અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ જીવોમાં સર્વ દર્શનેના આચારે વિચારમાં જેને સમભાવ થયે છે તે મેક્ષ પામે એમાં જરામાત્ર પણું સંદેહ નથી. સર્વભવે અને સર્વપાપથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધને અવલખ્યાં છે, પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તે તે સાધનાની નિષ્ફલતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્ય કરણી કરતે છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યને, રાજાઓને, અને ઈન્દ્રોને માન્યપૂજ્ય છે. સમભાવરૂપ સામાયકમાં રહેનારને ઉચ્ચ સત્યતોની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણોને ખીલવવાને મૂળ સમભાવરૂપ સામાયિકજ ઉપાય છે. સમભાવરૂપસામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જોવામાં આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થએલી અનુભવવામાં આવે છે. ગૃહસ્થાએ દરરેજ સામાયિક કરવું જોઈએ, અને સામાયિક રૂપ આત્માને કરવા દરરોજ પ્રયત્ન કરે જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારને ઉપશમ થ જોઈએ. સમભાવરૂપ સામાયિકમાં પરભાવને વિચાર નહિ જોઈએ. શુપયેગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને ખ્યાલ આવે છે. જગતના દશ્યને, પાંચ ઈન્દ્રિયે અને મનથી બિલકુલ સંબંધ ન રહે અને એક આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યને સંબંધી નથી આવી દશામાં સમભાવરૂપ સામાયિકને અનુભવ આવે છે અને તેથી આત્માને For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy