SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૯ છે અને જે જે પ્રતિકૂલ સંયેાગેા પ્રાપ્ત થયા છે તેમાંથી વિજ્ઞજય પૂર્વક પસાર થઇને આવશ્યક ધર્મકર્મો મારે કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયાગને ક્ષણ માત્ર પણ ન વિસારવા જોઇએ. એવા ક્ષણે ક્ષણે ઉપયાગ કરવા જોઇએ. ઉપયોને ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે ક્ષણે સ્મરીને કર્તન્ય ધર્મકર્મોમાં સમભાવપૂર્વક પ્રવૃાત્ત કરવાથી પેાતાનામાં ગુણ્ણા અને દુર્ગુણા વચ્ચે થતા યુદ્ઘના અનુભવ કરી શકાય છે અને અન્ત દુર્ગુણે! પર જય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં બે પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને બીજી દૈવીશક્તિ–આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે.હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રહ્મચર્ય-સૂર્ણ-અજ્ઞાન-અવિરતિ-ક્રોધમાન-માયા-લાભ-ઈર્ષ્યા-નિન્દા-આલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા રતિ અને અરતિ આદિ આસુરી શક્તિયેા છે. ક્ષમા-દયા-સેવા-ભક્તિસત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય જ્ઞાન-વિવેક-સમતા-શુદ્ધપ્રેમ-ત્યાગઆર્જવ–માર્દવ-નિલેfભતા-તપ-સંયમ-ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દૈવીશક્તિયા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પડમાં તથા બ્રહ્માંડમાં આસુરીશક્તિયાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિચાના તાબે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિ’ડમાં તથા બ્રહ્માંડમાં સુરીશક્તિયાને પ્રચારે છે. જેવી પિ...ડમાં સુરી અને આસુરી શક્તિયા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયેા વ્યાપી રહી છે. જે મનુષ્યેામાં સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેઓને દૈવીસંપત્તિવાળા સુરો કથવામાં આવે છે. અને જે મનુષ્ચામાં હિં‘સાદિ આસુરી શક્તિયે પ્રધાનપણે વર્તે છે તેને આસુરી સપત્તિવાળા અસુરા કથવામાં આવે છે. જેમ પિડમાં સુરી અને અસુરી શક્તિયેનું યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્યાંડવતિ દેવ-દાનવમનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિચેનું યુદ્ધ પ્રવર્ત્ય કરે છે, પિડમા જે જે ભાવે પ્રગટે છે તેવા ભાવેા બ્રહ્માંડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માંડમાં સુરીશક્તિયે સદા અસુરીશક્તિના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy