SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મ હાય તે તે કરવામાં મુખ્યતા અને ગાણુતાના વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઇએ. ધર્માર્થે આવશ્યક જે જે ધર્મક હાય તેમાં મનને નિયુક્ત કરવાથી તે તે કાર્યાની સત્ત્તર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્યના પ્રવૃત્તિમાર્ગમાં વિદ્યુત્ વેગે આગળ વધી શકાય છે. ધર્મના જે જે નિવૃત્તિમાર્ગેા હાય તે તે માર્ગાનું સંરક્ષણ કરવા માટે વર્તમાનકાલ દેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મકૃત્યેા જણાતાં હોય તેમાં ધાર્મિકજનાએ પ્રાણાહૂતિપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. શ્રી સદ્ગુરૂ આદિ જે ધર્મની પ્રગતિકારકા હોય તેનું પ્રતિપક્ષીદુષ્ટજનાથી રક્ષણ કરવું એ એક જાતની ભક્તિરૂપ આવશ્યક ધર્મકર્મ છે તેને સેવકાએ આદરવું જોઇએ. અકસ્માત્ રાત્રી વા દિવસમાં જે ધર્મકાર્ય કરવાની દેવગુરૂ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઉભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વરજરૂપ લેખવી તેમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષોનું લક્ષણ છે. ધર્મનાં સવાગા, ધર્મનાં સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સર્વ સામગ્રીઓની રક્ષા, વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મનાં આવશ્યક કમી છે. ધર્મ અને ધર્મએની પ્રગતિમાં જે જે આસુરી મનુષ્યેા તરફથી વિઘ્ના થાય તે તે વિઘ્નાને નાશ કરવા દૈવિકશક્તિયાને પ્રકટાવવી અને દોષભેાગે ધામિકજનાને અનન્ત ગુણુ લાભ થાય એવી પ્રવૃત્તિયેા પ્રારંભવી અને તેમાં ચાહેામ કરીને જીવન સમર્પવું એ નિષ્કામ ધર્મ કર્મચેાગીઓની આવશ્યક ધર્મકર્મ ફરજ છે. આત્મસમર્પણ કર્યાવિના કદાપિ કાઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમાં જેણે આત્મસમર્પણ કરવામાં દેહાર્દિકની મમતા ત્યજી દીધી છે અને સ્વક્જમાં જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામબુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યેા કરવાં જોઈ એ. સ્વાર્થ-પરાર્થે અને સંઘાર્થે જે જે ધર્મકા કરવામાં સ્વાધિકાર ચાગ્યતા અવળેાધાતી હોય તે તેવાં આવસ્યક ધર્મકાર્ય કરવામાં ડરવાના કરતાં મરવું એ શ્રેયેારૂપ છે એમ માનીને તેમાં માન અપમાનની વા કાઇ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવું એજ ધર્મકર્મયોગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે અને તે અદા કરવીજ જોઇએ, For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy