________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મ પ્રવૃત્તિ કરવાની છે તેઓને સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મા પ્રાપ્તિસંબંધી દિવસમાં અને રાત્રીમાં નિયમસર જે જે ધર્મ કર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એ ઉત્સર્ગોપવાદ માર્ગજ્ઞાનપૂર્વક ઉપગને જે સાધુઓ ધારણ કરે છે તે દૈવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકમેને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમામ્ થાય છે. યાવત્ સાધુને દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયે નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાને અધિકારી બની શકતું નથી. તતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને રાત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજે છે તેનું થાવત જ્ઞાન નથી તાવત્ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓ પૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્તવને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દેવસિક તથા રાત્રિક કર્તવ્ય ધર્મકર્મનું મૂળ રહસ્ય છે તેને પરિપૂર્ણ ઉપયોગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ મા આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર–તપઆચાર અને વીર્યાચારના પાલનમાં અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારના સદ્દવિચારોની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ. દિવસમાં અને રાત્રીમાં જ્ઞાનધર્મ (શ્રુતધર્મ) અને ચારિત્રધર્મની આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલ ભાવથી જે ત્યાગીઓ જ્ઞાનાદિ પંચાચારના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મને પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ
For Private And Personal Use Only