________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયા પશ્ચાતું તેમાં નિઃશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપગવિના અન્ય શુભાશુભ વિકલ્પ સંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાનાં છે તેથી આત્માની અને અન્યની ઉચ્ચતા થાય છે અતવતે કરવાં જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંકલ્પવિકલ્પ કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપગ રાખીને દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ કરવાનાં છે તેનું પરિણામ આત્માની શુદ્ધતા કરવી એજ છે અને એ તે સ્વફરજે ધર્મ કર્મથી થયા કરે છે તે અન્ય જાતીયશુભાશુભવિકલ્પસંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તે કઈરીતે યેગ્ય નથી એવું ખાસ અવબોધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દેવસિકરાત્રિક ધર્મકર્મ કરવાં જોઈએ. દેવસિક અને રાત્રિકધર્મકર્મોને ગૃહસ્થોએ પોતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવાં જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે કયાં કયાં ધર્મકૃત્ય કરવાનાં છે તે સ્વકીય સદ્દગુરૂગમપૂર્વક શાસ્ત્રોદ્વારા ગૃહસ્થાએ અવબેધવાં. ત્યાગિમુનિવરેએ સ્વકીય સદ્દગુરૂના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વયેગ્ય દેવસિક અને રાત્રિક ધર્મકર્મો અવબોધવાં. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા, વાણું અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવબોધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું, સ્વર્ગનું અને ગૃહસ્થવર્ગનું શ્રેય કરવા સમર્થ થઈ શકે છે. સાધુમાર્ગની સંરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે. આત્માના જ્ઞાનાદિક ગુણોની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધમિજનેની સંખ્યામાં તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમી મનુષ્યના પગ તળે તેઓ ન
For Private And Personal Use Only