________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાદિવડે રક્ષા કરવા માટે વિદ્યા પ્રવૃત્તિ-વ્યાપારકૃષિકર્માદિપ્રવૃત્તિ અને શસેવ્યકર્મપ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતાં અનર્થદંડ ગણી શકાતું નથી તેમજ દેવસિક ધામિકકર્મ અને રાત્રિક ધામિકકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતાં અપ્રમત્તયોગે હિંસાદિ કોઈપણ જાતને દોષ લાગતું નથી. જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે ધર્મ કર્મો અધિકાર પરત્વે ઉપચગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતાં આત્માની ઉન્નતિ-કુટુંબની ઉન્નતિ-સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ, પિતાને તથા સમાજ વગેરેને થતા હોય તથા એલ્સગિક અને આપવાદિક માર્ગસ્વની–પરનીકુંટુંબ-સમાજ-દેશ અને સંવાદિકની પ્રગતિમાં સંરક્ષણમાં હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવું જોઈએ. દ્રવ્યત્ર કાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મકર્મો દિવસે કરવાનાં હોય તે દિવસે કરવાં અને જે જે ધર્મક રાત્રિમાં કરવાનાં હોય તે અમુક સમયે રાત્રીમાં ગૃહસ્થોએ કરવાં જોઈએ. મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દૈવસિક અને રાત્રિક ધર્મ ઉપદેશ્યાં છે. જે ધર્મકૃત્યે મનુષ્યના આત્માની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુખેથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મકર્મો અવધવાં. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિરસ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવબોધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરંસ્થાચિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દેવસિક અને રાત્રિક ધર્મકર્મોનાં સ્વ અને પરસમયદ્વારા સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મો કરવાની સ્વકીય ફરજ છે અને તે કરવાથી ધામિક ફરજ અદા થાય છે એમ સમ્યગ્રજ્ઞાન થયા પશ્ચાત્ ન્નતિ આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ સ્વફરજ છે એવું અવાધાય છે. ધાર્મિકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય
For Private And Personal Use Only