________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
श्लोक. लोकोत्तरश्चसत्कर्म-कर्तव्यविधिवत्सदा। आह्निकंरात्रिकं कर्म-गृहस्थैर्यतिभि ध्रुवम् ॥ १७
શબ્દાર્થ-ગૃહસ્થમનુષ્યએ અને ત્યાગી મનુષ્યએ લોકોત્તર શુભ આહુનિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવાં જોઈએ.
વિવેચન-લૈકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહસ્થને કરવાની જરૂર છે તેમ લકત્તર આહુનિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. જે ગૃહસ્થ મનુષ્ય દેવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામાં પશ્ચાતું રહે છે તેઓ દુર્ગપર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શક્તિને પ્રકટાવવા શક્તિમાન્ થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મકર્મો સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યએ અવશ્ય કરવાં જોઈએ. વિષય કષાય-નિન્દા-આલસ્ય અને વિકથારૂપ પ્રમાદને પરિહરી અપ્રમતતા અંગીકરી દૈવસિક અને રાત્રિક ધર્મ કર્મ કરવાથી આત્માના સદ્દગુણે અને સદવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મ કર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામાં આવી છે તે સહેતુક છે. જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણેમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હાયછેજ. એકાને કઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાન્ત કઈ ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યું નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમને ધ્યાનમાં રાખીને ગૃહસ્થાએ ધામિકકર્મ નિયમોના સમયને ધ્યાનમાં રાખવું જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકાદિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમાં ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે. જેમ લકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતથા કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લકત્તર ધામિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણોની પ્રગતિ કરી શકાય છે. સ્વશરીર-સમાજ અને સ્વકુટુંબાદિકની આજી
For Private And Personal Use Only