________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७८
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમના હૃદયમાં કોઈ પણ જાતની ઉંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાએ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યાંમાં સુધારા વધારા કરવાને અને દેશકાલાનુસારે અધિકારી પરત્વે લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વક્જાગે આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિયાને કેવી રીતે આચરવી તેનું પરિતઃ જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અન્ને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિયેાથી સમ્ભષ્ઠિમ પંચેન્દ્રિયની પેઠે જ્યાં ત્યાં અથડાવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધામિકાનુષ્ઠાન હોય તોપણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરૂર છે. અમુક ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી શો લાભ થવાના છે. અમુક ધામિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનુ છે અને તે દ્રવ્યક્ષેત્ર કાલભાવે ભૂતકાલમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે; તથા ભવિષ્યમાં કેવું રૂપ ગ્રહશે તેના અધિકારી પરત્વે વિચાર કરવા જોઈએ. અમુક ધામિકાનુષ્ઠાનની વિધિ–તેના અધિકારી–તેનું બાહ્યાંતર સ્વરૂપ, તેનામાં થતાં પરિવર્તને, ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનુ વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબાધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી એમ હૃદયમાં સૂક્ષ્માપયેગે અનુભવ કરવાની જરૂર છે. ફક્ત દેખાદેખી ક્રિયાઓ કરનારા મનુચેાના આત્માએપ્રતિ લક્ષ્ય આપવામાં આવે તે અવમેધાશે કે તેનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્યે અનુષ્ઠાનાનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રૂચિમાત્રથી દેખાદેખી ધામિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેએ ધામિકાનુષ્ઠાનાના વાસ્તવિક એધના અભાવે સંકુચિત દૃષ્ટિના માર્ગપ્રતિ ગમન કરે છે અને દ્રવ્ય ક્ષેત્ર કાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શકતા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાએ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કતન્ય ક્રિયામાર્ગથી ભ્રષ્ટ થઈ વિપરીતમાર્ગપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દૃષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના ધર્મપ્રવૃત્તિયાને આદરે છે તેઓના આત્માની પતિત દશા થાય છે. ભારતદેશમાં પ્રાયઃ મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનાની પ્રવૃત્તિ
જે
For Private And Personal Use Only