SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા એગ્ય છે. વિકાનુન-ગોળ્યાનુદાન અને છાણન એ ત્રણું અનુષ્ઠાનને વિષય એ પદથી અવબોધવાં. સ્વર્ગ અને મોક્ષપ્રદ તદ્ધતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુકાને અવબોધવાં. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધર્માનુષ્ઠાન કરાય છે તે વિશ્વની પેઠે આત્માની હાનિકારક થાય છે. તાલપુટાદિ વિષભક્ષણથી જેમ પ્રાણેને નાશ થાય છે તદ્વત અજ્ઞાન-રાગદ્વેષાદિ પરિણામવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના જ્ઞાનાદિ ગુણોનું ઘાતક બને છે. અજ્ઞાનવથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામાં અનીશ્વર-અદેવત્વનાં લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે. પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુખને સુખરૂપ માને છે અને સુખને દુઃખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બંધ માને છે અને બંધને મિક્ષરૂપ માને છે અએવ અજ્ઞાનપરિણામે કરાતાં ધાર્મિકાનુષ્ઠાને વિષરૂપ પરિણમીને દુઃખરૂપ ફલવિપાકપ્રદ હેવાથી તે અનુષ્ઠાનને વિષાણાન કથવામાં આવે છે. તેમણે દુગ્ધના બનેલા દુધપાકમાં એક તેલે તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુધપાક ભક્ષણથી અનેક મનુષ્યના પ્રાણ વિણશી જાય છે તદ્દત વિષાનુષ્ઠાનથી ધર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુઃખની પરંપરા ભોગવવી પડે છે. અતએ અજ્ઞાનમિથ્થાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવબોધ્યા વિના જે અનુષ્ઠાન કરે છે તેને ધ્યાન કહેવામાં આવે છે. દેખાદેખી સાધે જગ પડે પિંડ કે વાધે રેગઈત્યાદિની પેઠે અન્યાનુષ્ઠાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈનું ધાર્મિક અનુષ્ઠાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનને વિકાસ થતું નથી. દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધામકાનુષ્ઠાન કરનારાઓ અન્તરમાં જેવા હોય છે તેવાને તેવા રહે For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy