SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમુક સંગોની પરિસ્થિતિને વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મોને જે મનુષ્ય અનુભવે છે તે ભય, દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમતે તેનું જ્ઞાન જ ન હોય તે પશ્ચાત્ તે પ્રવૃત્તિથી લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા યેગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધામિકાનુષ્ઠાનેથી આત્માની મુકતતા પ્રાપ્ત થાય છે. જ્ઞાનશિયામ્યાંમોક્ષ જ્ઞાન અને કિયા એ બેથી મેક્ષની પ્રાપ્તિ થાય છે, જ્ઞાનવિનાની ક્રિયા અંધ સમાન છે અને ક્યિાવિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે. જ્ઞાન છે તે આત્માને ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે તથાપિ ધાર્મિક કર્તવ્ય કર્મપ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ ન હોવાથી અને ધાર્મિકકિયાની આવશ્યક્તા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક ! તું વિવેકજ્ઞાનવડે હેય ચ અને ઉપાદેય પ્રવૃત્તિને નિર્ણય કરી અન્તમાં અવધ. ધાર્મિકાકાનેના ભેદનું પ્રતિપાદન કરવામાં આવે છે. अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठानं-विषाचं त्याज्यमेव वै ।। १५ ।। तद्धेतुकमनुष्ठानं-चानुष्ठानामृतं स्मृतम् । सात्विकबुद्धिभिग्राह्य-स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥ શબ્દાર્થ –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેવ સંસ્કૃત વિષાદિ ધામિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તàતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમોક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમંતોએ ગ્રાહ્ય છે. વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દોષ સંસ્કૃત વિષાદિ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy