SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટક કરતાં કપિલકેવલીએ લાકિક આવશ્યક કર્મફરજ અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાતિવકકર્મ તરીકે રાગદ્વેષ રહિતપણે અવબોધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લોકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે લાકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુષ્ય અહેમમત્વવૃત્તિરહિતપણે લોકિક કર્તવ્ય કર્મોને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહં. મમત્વવૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્યકર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકર્મી તરીકે કથવામાં આવે છે. તથા જે કર્મો કરવામાં સાત્વિકભાવના વર્તે છે તે કર્મને સાત્વિકકર્મ કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રજોવૃત્તિ અને તવૃત્તિરૂપ દોષોને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૈકિકદશામાં લાકિક આવશ્યકકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમાં અપુનબંધકની સ્થિતિને પ્રાપ્ત કરી આત્મોન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે. લોકિકકર્મોને તે અખિલ વિશ્વવતિ મનુષ્ય આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવધી તેમાં પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મગીઓવડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપગમાં રહેવું અને બીજી તરફથી વિશ્વવતિ લકિક કર્તવ્યકમને સ્વફરજાનુસારે કર્યા કરવાં એ કંઈ સામાન્ય બાબત નથી. ઉચ્ચ કર્મયેગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્તઃકરણપૂર્વક પ્રયત્ન હોય તે આવી દશાપર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવાધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ अहंज्ञानी, अहंध्यानी, अहंकर्ता, अहंभोक्ता इत्यादिभांयती पत्तिथा મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પિતાને અભિમાન પ્રકટતું નથી. જ્ઞાનીકર્મયેગીઓ અવધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરે. ખર બાહ્યા વ્યવહારે કારણુ સામગ્રીએ થયા કરે છે, અને આત્મિક For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy