________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
$3
જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિકગુણવૃત્તિથી સમ્યગ્ આ સેવી શકાય છે. યુદ્ધાદિ કાર્યામાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્ય વિજયી અને છે. બીકણુ-ખાયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા, પ્રમાણિકતા, નિર્ભયતા, આત્મભેગ, પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિયાનું વ્યાયામપૂર્વક આરોગ્ય, દ્રષ્ટક્ષેત્ર કાલ ભાવનુ’જ્ઞાન, દક્ષત્વ, શાર્યશક્તિપ્રાકટય, આચારવિચારશુદ્ધિ, હૃદયનું ઔદાર્ય, દાન, બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ, આત્મજ્ઞાનપ્રકાશ, ખેદરહિતપ્રવૃત્તિ, બાહ્યકર્મલેચ્છાયાગ, આત્મવવિશ્વભાવનાની વૃદ્ધિ, સમતા, સંતાષ, વિદ્યા, અનેક પ્રકારની વિદ્યાનું પઠનપાઠન, સંરક્ષકશક્તિપ્રગતિ, પરોપકારભાવનાની વૃદ્ધિ, સાજન્યભાવની વૃદ્ધિ, અનેદભાવનાની વૃદ્ધિ, કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા, પરસ્પર સાહાચ્યપ્રદવ, ઔચિત્યન્નત્ય, જ્ઞાનગભિત વૈરાગ્ય, પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ, આત્મગુણાને વિકાસ, સાપેક્ષનયજ્ઞાન, ત્યાગભાવ, નિર ંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શક્તિ ખીલે છે તે તે અ ંશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળા કહી શકાય છે.
જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણાને જે જે અંશે ગ્રહે છે તે તે અંશે તે રજોગુણ અને તમેગુણવૃત્તિયાને પરિહરી લૈાકિકપ્રગતિમાં ઉચ્ચ મની વિશ્વની ઉચ્ચતા કરવા રવભાવે સમર્થ થાય છે. જે મનુષ્ય ગૃહાવાસમાં રહ્યા છતા અને પેાતાને સાત્વિકગુણી માનતા છતા લૈાકિકવ્યવહારમાં પડતીને પામે છે તે તત્સંબંધી અવબાધવું કે તે મનુષ્યે સાત્વિકગુણના ખરેખરા સેવક અન્યા નથી. જો તેએ વસ્તુત: સાત્વિકગુણુસેવક બન્યા હોય તે લૈાકિકવ્યવહારષ્ટિએ વિશ્વમાં સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યના સ્વામી બન્યા વિના રહેત નહિ, સમ્યક્ત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકગુણનીભૂમિકામાં વિહાર કરીને ઉચ્ચ પ્રદેશેાના અનુભવ કરી શકાય છે. વિશ્વજીવાનુ પરપરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમેગુણરૂપ મેહનીયવૃત્તિયેાથી થાય છે એમ યદા અનુભવમાં આવે છે ત્યારે સાત્વિકગુણનું વસ્તુતઃ આસેવન થઈ શકે
For Private And Personal Use Only