SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ઉપદેશ આપી તેઓની લૌકિકજવનકર્મપ્રવૃત્તિને નાશ કરતા નથી. લેકેએ લૈકિકકર્મપ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીદગીમાં જીવનતના સંરક્ષણની સાથે ગૃહાવાસમાં રહી લોકોત્તર ધર્મકર્મની કિયાઓને સ્વાધિકારે યથાશક્તિ સેવવાને હેયે પાદેય વિવેક પ્રાપ્ત કરવું જોઈએ. ઉપર્યુક્ત વિવેકપૂર્વક સ્વાધિકારે લૌકિકજીવન કર્મકિયાઓને નહિ સેવવામાં આવે તે કર્મવ્યવસ્થા કમનિયમિત પ્રવૃત્તિના અભાવે. અવનતિહાનિ પ્રસંગ સેવ પડે છે. લૌકિક કર્મપ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામાં જે લેકે સંકુચિતવૃત્તિથીનિવિવેકપ્રવૃત્તિથી–આલસ્યથી અને પ્રાચીન રૂઢિ વશ થઈ પશ્ચાતું રહેશે તે તેઓ આત્માની બાહ્ય સાધનશક્તિથી વિમુખ બની અન્યજનનું પાતંત્ર્ય સેવશે. આત્માની બાહ્ય સાધનશક્તિ વડે આત્માની આત્યંતરજ્ઞાનાદિ શક્તિને વિકાસ થાય છે. ગૃહસ્થાવાસમાં યાવત્ સ્થિતિ હોય તાવત્ ગૃહસ્થાવાસના સ્વાધિકારે આત્મજ્ઞાન અને વૈરાશ્યાદિગુણે અન્તરમાં અમુકાસ્થતિ સુધીના પ્રગટ્યા છતાં સ્વરોગ્ય લેકિકજીવનાદિ કર્મપ્રવૃત્તિને સેવવી પડે છે અને તેથી બાહ્ય લૌકિકકર્માધિકારની ફરજ અદાકરી એમ કહેવાય છે. લોકિકાછવિકાદિ સાધન સામગ્રીઓની સાનુકૂલતા જે જે કાલે જે જે અવસ્થાએ ઉત્સર્ગ વા અપવાદથી સધાય એવી રીતે જે જે પ્રવૃત્તિ કરવી તે તે પ્રત્યેક મનુષ્યને યોગ્ય છે. એકની કર્મકિયાની ઉપાદેયતા અન્યને હેયરૂપ લાગે અને તેની ક્રિયાઓની ઉપાદેયતા ભિન્નાધિકારથી બીજાને હેયરૂપ લાગે તે તેમાં કશું આશ્ચર્ય નથી. એક વ્યક્તિએ સ્વાધિકારે, -સમાજે સમાજના અધિકાર, સંઘ સંઘના અધિકાર પ્રમાણે અને રાજાએ રાજાના અધિકાર પ્રમાણે દેશકાલાદિને વિવેક કરી અને લાભાલાભને પરિપૂર્ણ નિશ્ચય કરી આત્માની બાહ્ય અને આન્તરિક પ્રગતિકારક કર્મકિયાએ કરવી જોઈએ. વિવેકે લેકિકકર્મપ્રવૃત્તિમાં અન્તથી દયાની યતના પૂર્વક વર્તવાથી દોષને પરિહાર કરી શકાય છે અને સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ સેવીને વિશ્વવતિજી પ્રતિ ઉપગ્રહ કરી શકાય છે. લાકિકકર્મકિયાએ સદેષતે હેય છેજ પરન્તુ લોકિક દશામાં લેકિકકર્મક્રિયાઓ કર્યા વિના છૂટકે થતું નથી તેમાં વિશેષ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy