SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ણીય આવશ્યક લૌકિકકિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશોન્નતિ, ધર્મોન્નતિ, આત્મન્નિતિ, સમાજોન્નતિ, સંઘન્નતિ, જ્ઞાનેન્નતિ, શારીરિકેન્નતિ, રાન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાળાદિકગે અગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકરવ્યાવહારિકલૈકિકકર્મક્રિયાઓ કરવી જોઈએ. મનુખ્યોએ સ્વકર્મોની ફરજ અદા કરવાને પ્રગતિકારક લોકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. સમય વહ્યા જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાને ભાર પોતાના પર જે આવી પડેલે હોય તે કરીને કર્તવ્ય ઋણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૈકિકપ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લેકે વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકે ખરેખર અન્ય દેશીય મનુષ્ય કરતાં ઉન્નતિક્રમમાં આગળ વધે છે. જે દેશના અને ધર્મના લેકે હેયાદેય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લોકે આમેન્નતિ-દેશોન્નતિ-સંઘન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ રહે છે. અમુક લૈકિક પ્રવૃત્તિ આદર્યા પૂર્વે વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુષ્યને શું લાભ થનાર છે? ઈત્યાદિ બાબતપર જે ખાસ લક્ષ્ય રાખીને લૈકિક ક્રિયાઓને ઉદ્દેશપૂર્વક આદરે છે તે વિશે કાર્યસિદ્ધિની વિજ્યાદશાને ભજે છે. લેકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૈકિક જીવનાદિ કિયાઓ કરે પરંતુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતાં કોઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અધપરંપરાથી જ્ઞાન વિના સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિ કર્યા કરે તે પરિણામે ફલ એ આવે કે તે લિકિક જીવન પ્રગતિમાં અન્યસુજ્ઞ મનુષ્ય કરતાં પશ્ચાતું પડે અને તેની અન્ય પરંપરા પ્રવૃત્તિના સુધારા વધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પર્ધીઓ પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy