SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વફર્જથી કર્તવ્ય પ્રવૃત્તિમાં યદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે સ્તંભવાની પ્રવૃત્તિ કથંચિત્ એગ્ય ગણી શકાય. પરિતઃ સંગે અને આન્તરમનોવૃત્તિની એગ્યતા તથા સ્વાધિકારને નિર્ણય કરી લૈકિક પ્રવૃત્તિમાં લૈકિક પ્રવૃત્તિ એગ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિની પ્રગતિ કરીને લૌકિક પ્રગતિમાં પશ્ચાત્ રહેલા મનુષ્યના સત્તાધિકારી બની શકે છે. લૈકિકપ્રગતિકારક શક્તિની સત્તાઓને અધિષ્ઠાતા જ્યાં સુધી લૈકિક વ્યવહાર સ્થિત મનુષ્ય હોય છે તાવ તે લૈકિક સ્વાતંત્ર્યને સંરક્ષી અન્ય મનુષ્યને ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીજકોનું સંરક્ષકત્વ કરી શકે છે અતએ લૈકિકપ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાયભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ. શ્રાવકનાં દ્વાદશત્રતધારકશ્રીચેટક રાજાએ ક્ષાત્ર ધર્મકર્મયેગ્ય એવી લૌકિક પ્રવૃત્તિને સેવી બાર વર્ષ પર્યન્ત ઉદાયી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષ્ણ લોકિક કર્મસ્વાધિકારે ક્ષાત્રધર્મગ્ય એવાં ત્રણસેને સાઠ યુદ્ધ કર્યા હતાં. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અન્તરાત્માઓ આન્તરધર્મદષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગ્દષ્ટિપ્રતાપે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લાકિકપ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિર્લેપપણે આદરતા હતા, પરંતુ લૈકિકકર્મસ્વાધિકારથી ભ્રષ્ટ થતા નહોતા. જે જે અધિકારે જે જે બાહ્ય વા આન્તરફ અદા કરવાની છે તેમાંથી જે સ્વાધિકારની યોગ્યતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પણ તે સિદ્ધ કરવાને અગ્ય હોવાથી ઉભયતભ્રષ્ટ સ્થિતિને પાત્ર બને છે. અએવ લોકિકકર્મમાં જ્યાંસુધી સ્વાધિકાર છે તાવત્ સ્વયેગ્યુલેકિક પ્રવૃત્તિ જે જે હોય તેઓને નિર્લેપ દષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ કંઈ સામાન્ય બુદ્ધિમત્તા નથી ? લોકિક કર્મો અને લૈકિક કર્મોની ક્રિયાઓ અર્થાત પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે તેના અનન્ત ભેદ છે. લેકિકપ્રવૃત્તિ આદરવામાં મમત્વને ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy