SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ પ્રસ્તાવના. તેમણે વ્યક્ત કર્યો. આ મરહૂમ આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજી મહારાજ સમાજમાં અનેક પ્રકારના આડંબર, ધાંધલ અને કલહે ઉત્પન્ન કરી સમાજને અધોગતિમાં લઈ જનાર નહિ; પણ જ્ઞાનધ્યાનમાં મસ્ત રહી ગુજરાતી અને સંસ્કૃતમાં અનેક કૃતિઓ જૈન સમાજને આપી ઉન્નતિના માર્ગે લઈ જનાર વિદ્વાન્ આચાર્ય હતા એ કાંઈ ઓછી આનંદની વાત નથી. ખાસ કરી કાવ્યમાં તેમનો પ્રેમ ઘણું જ હતો. તેઓશ્રી અધ્યાત્મપ્રેમી, ભજન સાહિત્યના ચુનંદા લેખક શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરિજીના પ્રસિદ્ધ વક્તા અને સમાજહિતચિંતક શિષ્ય હતા એ પણ એમના મહત્ત્વનું એક કારણ છે. આ બન્ને આચાર્યો જન સમાજમાં પ્રસિદ્ધ હતા; એટલે એના જીવન વિષે અહીં વધુ લખવાની હું આવક્તા સમજતો નથી. શ્રીમાન અજિતસાગરસૂરિના વિનીત, પ્રિય અને વિદ્વાન્ શિષ્ય મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજી મિલનસાર તરીકે જાણીતા છે. તેમને જ્ઞાન વ્યવસાય, ભક્તિભાવ, પ્રેમ અને મધુર સ્વભાવ દુશ્મનને પણ મિત્ર બનાવે છે. કમનસીબે એમના ગુરુજી પ્રસ્તુત ટીકા મુદ્રિત થયેલી જોઈ ન શક્યા પણ ગુરુજીના ઉદ્દેશની પૂર્તિ માટે શ્રી હેમેન્દ્રસાગરજી આ ટીકા છપાવી પ્રસિદ્ધ કરે છે એ ખુશી થવા જેવું જરુર છે. શ્રી હેમેન્દ્રસાગરજી પોતાના ગુરુને પગલે ચાલી સંસ્કૃત અને ગુજરાતી કાવ્યમાં સારે રસ લે છે. એમના સભાવભર્યો આગ્રહે આ પ્રસ્તાવનાની પંક્તિઓ લખવા મને ૧ પ્રસ્તુત ટીકા પ્રલાદનપુર (પાલનપુર) માં ૧૯૭૫ શ્રાવણ સુદિ સાતમે પૂર્ણ કરેલી છે. તેની પ્રશસ્તિમાં જુઓ લેક ૧૦ મે. भव्यश्राद्धकदम्बराजितपथै प्रह्लादने पत्तने, चातुर्मास्यकृते स्थिति कृतवता येनोपकारक्षमा ।। अक्षाऽश्वाऽङ्कशशाङ्कसंमितवरे (१९७५) संवत्सरे श्रावणे, सप्तम्यां रविवासरे शुभतिथौ पूर्णीकृता स्वातिगे ॥ १० ॥ For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy