________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શભસ્તુતિ ચતુર્વિશતિકાની ટીકાઓ.
૨૫
ચંદ્રસૂરિ, કીર્તિરાજપાધ્યાય, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની ઐન્દ્રસ્તુતિ વિગેરે કૃતિઓ પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું ફલ છે.
શેભનસ્તુતિની અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાર્યો અને કવિઓએ શેખ કે પરોપકારાર્થ તેના ઉપર ટીકાઓ બનાવી છે. જેમાંની નવ ટીકા તો આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્તા ગંભીરતા અને પ્રસિદ્ધિ સહેજે સમજી શકાય તેમ છે. તે ટીકાકારોનાં નામ આ છે –
ધનપાલ, યવિજયજી, રાજમુનિ, સૌભાગ્યસાગરસૂરિ, કનકકુશલગણિ, સિદ્ધિચંદ્રગણિ, દેવચંદ્ર, અજબસાગર અને એક બીજા અવચેરિકાર પૂર્વાચાર્ય (આમના નામને પત્તો મળે નથી ).
વીસમી સદીમાં પણ ડોકટર હરમન યાકેબી વિગેરે વિદ્વાનેએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તર કર્યા છે. છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિશતિકાની અનેક ટીકાઓનો સંગ્રહ કરી તથા વિસ્તારથી ભાષાનતર કરી દેવચંદ લાલભાઈ પુ. ફંડ. સુરતથી પ્રકાશિત કરેલ છે. જેની હું પ્રસ્તાવના લખી રહ્યો છું તે આ ગ્રંથમાં પણ તમે શોભન મુનિની પ્રસ્તુત સ્તુતિની એક સંસ્કૃત “સરલા” નામની ટીકા જોશે, કે જે ચાલતી આ વીસમી સદીમાં બનેલી છે. એના કર્તા આચાર્યશ્રી અજિતસાગરસૂરિજી છે. સદગત શ્રીમાન અજિતસાગરસૂરિજી મહારાજ કાવ્ય સાહિત્યના અપૂર્વ રસિક અને પ્રેમી હતા. જો કે તેમની સાથે મારે પ્રત્યક્ષ પરિચય હેત થયે પણ તેમનો કાવ્યનો અભ્યાસ સારો હતો એમ સંભળાય છે. તેઓ આ કૃતિની સુંદરતાથી આકર્ષાયા ને તેના પર કાંઈક લખવું એ ‘ઉત્સાહ જાગતાં આ સ્તુતિ વિષે પિતાને અનુભવ પ્રસ્તુત ટીકામાં
For Private And Personal Use Only