SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri ગામની પરીક્ષા. વિસ્તૃત ગુજરાતી ભાષાન્તર કર્યું છે. તેઓએ લંબાણથી પ્રસ્તાવના લખવા છતાં શોભન મુનિના જીવન વિષે કઈ પણ જાતનો નિર્ણય કર્યો નથી. હું નથી સમજી શકતો કે આટલા મોટા પુસ્તકમાં તેઓએ શોભનના વિષયમાં મહત્વનું કેમ નથી લખ્યું ? અસ્તુ. ગમે તે કારણ હો. હારી પાસે અત્યારે એટલાં બહોળાં સાધન નથી અને વધુ ઉંડાણ અને વિસ્તારથી હું લખવા બેઠે પણ નથી, છતાં આ સ્થળે આ સંબંધે હું થોડી વિચારણા કરવા યત્ન કરીશ. ઉપરના કોષ્ટકથી જણાય છે કે જુદા જુદા ગ્રંથોમાં શોભન અને ધનપાલની નગરીનાં ધારા, ઉજજયિની, ગામની પરીક્ષા. અવનતી અને વિશાલા એમ ચાર નામે લખ્યાં છે. આચાર્ય શ્રી હેમચંદ્રના અભિધાનચિંતામણિ કેષમાં અવની. વિશાલા અને પુરપકડિની આ ત્રણે ઉજજયની (ઉજજેન) ના પયાર્ય શબ્દો લખ્યા છે. આનાથી આટલો ખુલાસો તો થઈ જાય છે, અવની અને વિશાલા આ બે ઉજજેનનાં અપર (પર્યાય) નામે છે. હવે શુંભનની નગરી વિષે ધારા (ધાર) અને ઉજજૈન વિષયક આ બે મત રહ્યા. ધારાના મતમાં પાંચ ગ્રંથ છે જ્યારે ઉજજેનના મતમાં ત્રણ ગ્રંથ છે. આ બે મતભેદ ધરાવનાર ગ્રંથમાં એક બાજુ પ્રભાવક ચરિત્ર, તિલકમંજરી, શેભન સ્તુતિટીકા જેવા ગ્રંથે છે અને બીજી બાજુ પ્રબંધ ચિંતામણિ છે. પ્રબંધ ચિંતામણિના ઉલ્લેખને પ્રમાણ વગર વખોડી પણ કઢાય નહિ તેથી મારો મત તો એવો १" उज्जयिनी स्याद् विशालाऽवन्ती पुष्पकरण्डिनी॥ સમિધાન ચિન્તામળઃ” ૪-૪૨ ૨ હસ્વકારાન્ત અવન્તિ શબ્દ માલવાદેશ વાચક છે, જુઓ હમકોષમાં (૪-૨૨). For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy