SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શોભનમુનિનું અવસાન. ૧૭ દુનિયામાં વિદ્વાન અને સજ્જને કઈ કઈ વાર જલદીથી - જગતને છોડી ચાલ્યા જાય છે. શોભનમુનિ શોભનમુનિનું માટે પણ તેમજ થયું ! તેમને તાવને ભયંકર અવસાન. જીવલેણ રોગ લાગુ પડ્યો, તેના પરિણામે યુવાવસ્થામાં તરત જ તેઓ મત્ય (મનુષ્ય) લેકને છોડી અમર્ત્ય સધર્મદેવલોકના અતિથિ થયા--સ્વર્ગવાસી થયા. દુર્ભાગ્યે તેમનું આ મરણ શા કારણથી, કયે સ્થળે અને કયે દિવસે થયું ? તેનું ચોક્કસ સાધન અત્યારે આપણી પાસે નથી, શ્રીમાન જિનવિજયજી સંપાદિત પ્ર૦ ચિં.ની આવૃત્તિના “ ભાજભીમ પ્રબંધ ” માં પાઠ છે કે:-શોભનમુનિ સ્તુતિ કરવાના ધ્યાનની એકાગ્રતાથી એક બાઈને ત્યાં ત્રણવાર ( ગોચરી માટે ) જવાથી તે બાઈની નજર લાગી અને તેથી શોભનમુનિ કાલ કરી ગયા–સ્વર્ગવાસી થયા. મને લાગે છે કે જે શ્રાવિકાને ત્યાં ત્રણવાર ગોચરી જવાનું પ્રભાવક ચરિત્રના જ મતથી હું ઉપર લખી ગયે છું તેજ બાઈની કદાચ શ્રી શોભનમુનિને નજર લાગી હશે. આવા કારણથી સાધુનું મૃત્યુ થાય તેવા દાખલાઓ બહુજ વિરલ બને છે. બે ઐતિહાસિક ગ્રંથોના પાઠો છે એટલે આ વાતને આપણે જુઠ્ઠી કહેવાનું સાહસ તો ન જ કરી શકીએ. મને લાગે છે કે ઉપર્યુક્ત કારણથી તેઓ ગુજરાતમાં (પાટણમાં?) લગભગ ત્રીસથી ચાળીશ વર્ષની ઉમરમાં અકાળે સ્વગવાસી થયા હશે ? સાહિત્ય દષ્ટિએ મહાન શક્તિ ધરાવનાર, અનેક ગ્રંથો લખવાની અને શાસનની સેવા કરવાની ઉદાત્ત ભાવનાવાળા આ તરુણમુનિ જે વધુ જીવ્યા હોત તો કાવ્ય અને અલંકારના અનેક મલિક ગ્રંથને જૈન સમાજને વાર આપી १ [ इतश्च शोभन: स्तुतिकरणध्यानाद् एकस्या गृहे त्रिर्गमनात् तस्या दृष्टिदोषाद् मृतः । प्रान्ते निज भ्रातुः पार्थात् स्तुतीनां वृत्तिं कारयित्वा अनशनात् सौधर्म गतः । प्रबन्धीचन्तामणिपृ. ४२. For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy