________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના
આવે છે. કોઈ ઠેકાણે મધ્યાન્ત ચમક, કેઈ સ્થળે આદિમધ્ય. ચમક ( મધ્યાન્ત યમકની સાથે ), કઈ જગ્યાએ આદ્યન્ત ચમક, કઈ પદ્યમાં સંયુતાવૃત્તિ થમક અને કોઈ સ્થળે અસંયુતાવૃત્તિ યમક અલંકારે ગોઠવ્યા છે.
આ કૃતિમાં ન્હાના મોટા અનેક પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ છ દે છે કે જે વિદ્વાનને રસ અને આનંદ ઉત્પન્ન કરે છે. વિવિધ અલંકાર અને છંદોમાં પોતાના ભાવો ગોઠવવા તે કેટલી મુશ્કેલની વાત છે તે કવિતા બનાવનાર જ સમજી શકે તેમ છે. આ ગ્રંથ બનાવતી વખતે શોભનમુનિનું ચિત્ત કેવું એકાગ્ર બન્યું હતું તેનું એક ઉદાહરણ પ્રભાવક ચરિત્રમાં મળે છે.
જ્યારે શોભનમુનિ પ્રસ્તુત “જિન સ્તુતિ ચતુર્વિશતિકા” બનાવતા હતા તે અરસામાં તેઓ ગોચરી (ભિક્ષા) લેવા ગયા. ચાલતાં ચાલતાં પણ પ્રસ્તુત કૃતિ બનાવવાની એકાગ્રતામાં તેમનું ચિત્ત પરોવાએલું હતું, તેથી ખ્યાલ નહિં રહેવાથી તેઓ એક જ શ્રાવકના ઘરે ત્રણવાર ફરી ફરી ગૌચરી ગયા. જ્યારે શ્રાવિકાએ શોભનમુનિને પૂછયું કે, આમ ફરી ફરી ગોચરી આવવાનું શું કારણ? ઉત્તરમાં શોભનમુનિએ કહ્યું કે:-“અત્યારે કવિતા બનાવવામાં જ મારું મન પરોવાયેલું છે. તેથી મને ખબર ન રહી કે હું કોને ત્યાં જઉં છું અને શું કરું છું?” પૂછનાર બાઈએ શોભનમુનિના ગુરુની આગળ પણ આ વાત કહી. ગુરુ આ વાતથી ઘણું જ રાજી થયા અને શિષ્યની જ્ઞાનરસિતાથી સંતોષ પામી તેમણે શોભન મુનિનાં વખાણ કર્યા. ૨ શેભનમુનિને કવિતા બનાવવાને કેવો રસ હતો તે આ એક જ પ્રસંગથી વાચકો જાણ શકશે. ખુશીની વાત છે કે પ્રસ્તુત કૃતિની સુંદરતાથી આકર્ષાઈ ઘણું લોકે બાહુલ્યતાથી આ જ સ્તુતિ-થેય પ્રતિક્રમણાદિ કિયાઓમાં બોલે છે.
૧ આ બધા યમકોનાં લક્ષણે અને ઉદાહરણો વાગભટાલંકાર, સરસ્વતી કંઠાભણ વિગેરે ગ્રન્થમાં જુઓ.
૨ જુઓ મહેન્દ્રસુરિ ચરિત્ર. ( પ્રભાવક ચરિત્રમાં).
For Private And Personal Use Only