________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
પ્રસ્તાવના.
કારી પોતાનું સ્વીકારી તેનું શરણું લઉં છું. પહેલાં જીવન જૈનધર્મને જૈન ધર્મને દ્વેષ કરી આ પ્રદેશમાં બાર સેપે છે. વરસ સુધી જૈન સાધુનો વિહાર બંધ
મેં કરાવ્યો તે માટે અપરાધ કર્યો છે. અત્યારે હું તે મારી ભયંકર ભૂલનો પશ્ચાત્તાપ કરુ છું. આખાય માળવામાં પંકાયેલ વિદ્વાન કવિ ધનપાળ ઉપર શોભનમુનિના ઉપદેશની કેટલી સચોટ અસર થઈ હશે તેનું અનુમાન, તેના શ્રદ્ધા, ભક્તિ અને નમ્રતાથી ભરેલા શબ્દોથી સહેજે કરી શકાય છે.
આ પછી તત્કાલ મહાકવિ ધનપાળે શેભન મુનિની સાથે મહાવીર પ્રભુના મંદિરમાં જઈ ભાવપૂર્વક પ્રભુની સ્તુતિ કરી વિધિપૂર્વક જૈન ધર્મ સ્વીકાર્યો. ધનપાળના જીવનમાં આજે મહાન પરિવર્તન થયું. એક વખતને જૈનધર્મને મહાન વિરોધી બ્રાહ્મણ પંડિત આજે જૈનધર્મનું શરણ સ્વીકારી ચુસ્ત જેન બને છે. હવેથી ભેજરાજાને માનીતો પુરોહિત અને બાણના બીજા અવતાર સમે ધનપાળ કવિ પિતાની વિદ્વત્તા અને યશ જેનધર્મને આપવા નિર્ણય કરે છે. ધનપાળના આવા મહાન પરિવર્તનને યશ: અને પુણ્ય આપણું ચરિત્ર નાયક શબનમુનિને જ છે. શોભનમુનિના જીવનમાં આ એક મહાન કાર્ય થયું. ઘણુ વખતની તેમની ભાવના સફળ થતાં તેમના આત્મામાં આનંદ અને સંતોષ થયા. તેઓ પિતાનું સફળ જીવન વિશેષ સફળ માનવા લાગ્યા. પહેલાંના સાધુઓમાં શાસન સેવા કે પ્રભાવના કરવાની કેવી ભાવના અને શક્તિ હતી તે આ બનાવથી પાઠકે જાણી શકશે. જેન સંઘમાં આ બનાવથી મેર આનંદ ફેલાયે. દેશપરદેશમાં વીજળીના વેગે આ સમાચાર ફરી વળ્યા. હિંદભરમાં શ્રીશાભનમુનિનું નામ વધારે મશહુર અને, પ્રભાવિક બન્યું.
For Private And Personal Use Only