________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'પ્રસ્તાવના.
માણસ સાથે ધનપાળે શોભનમુનિને ઉપાશ્રયે મોકલ્યા, ધારાવાસિઓમાં હજુ કોઈપણ જાણી શકાયું ન હતું કે આ બંને એક જ માતાના પુત્ર સગા ભાઈ છે. ધારાની સ્થિતિ સુધારવા શબનમુનિના મનમાં અનેક સંકલ્પ
વિકલપ થવા લાગ્યા. તેઓ બાહોશ અને ધનપાળને પ્રતિ- યુકિતબા હતા. તેમણે પોતાના સાધુઓને બોધ અને બે ધનપાળને ત્યાં ગોચરી લેવા મોકલ્યા. પ્રશાંત ભાઈઓની ભેટ. આકૃતિવાળા બે જૈન મુનિઓએ જૈન ધર્મના
કટ્ટર દુશ્મન ધનપાળના ઘેર જઈ ધર્મલાભને પવિત્ર નાદ સંભળાવ્યો. ધનપાળ તે વખતે સ્નાન કરતો હતો. તેની સ્ત્રીએ સાધુને કહ્યું કે, અહીં ખાવાનું નહિ મળે, ચાલ્યા જાવ. ધન પાળે પિતાની સ્ત્રીને કહ્યું કે:-“અતિથિને નિરાશ કરે તે માટે અધર્મ છે, માટે કંઈને કંઈ તો આપ. તે સ્ત્રી ત્રણ દિવસનું દહીં લાવી મુનિને આપવા લાગી. મુનિએ પ્રશ્ન કર્યો કે:-“હેન, આ કેટલા દિવસનું છે ? ઉત્તરમાં તે ચિડાઈને બોલી કે આમાં જીવડાં (પોરા) પડી ગયાં છે શું ? લેવું હોય તે લે નહિ તો રસ્તો પકડે. મુનિ બોલ્યા કે બહેન તમે નકામે ક્રોધ શા માટે કરો છો ? અમારો આચાર છે માટે પુછીએ છીએ. હવે રહી જીવડાની વાત. તેના ઉત્તરમાં કહેવાનું કે -બે દિવસ ઉપરાંત દહમાં ખટાશ વધતી જાય છે, તેથી તેમાં તે રંગના જીવ ઉત્પન્ન થાય છે એમ જૈન શાસ્ત્રો કહે છે. તેની સાક્ષાત પ્રતીતિ કરવી હોય તો અલતો લાવી દહીંમાં નાખો. ધનપાળ ત્યાં આવી આ બધી વાત રસપૂર્વક સાંભળતો હતો. તેણે કૌતુક જેવાની ખાતર અથવા તત્ત્વ નિશ્ચય કરવાની ખાતર અલતો મંગાવી દહિંમાં નાખે. થોડી વારમાં જ તેમાં કેટલાક તેજ વર્ણના-દહીંના રંગના જંતુઓ ઉપર ચાલતા દેખાયા. ધનપાળનું હદય આ દશ્ય જોઈ પીંગન્યું. બહુ આશ્ચર્ય થતાં તેના હૃદયે પલટે ખાધે. જૈન ધર્મની શ્રદ્ધાનું તેનામાં બીજ રોપાયું, જાણે શાસ્ત્રાર્થમાં પરાસ્ત થયે હોય; તેમ નગ્ન થઈને મુનિને
For Private And Personal Use Only