SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - પ્રસ્તાવના. આચાર્યે તેના ઘરમાં દટાયેલ ધન બતાવ્યું. સૂરિજીએ બતાવેલા સ્થળમાં સર્વદેવને મોટી ધનરાશિની પ્રાપ્તિ થઈ. ધનના આનંદથી તે ગાંડા ઘેલા થઈ ગયે. ધન અગ્યારમે પ્રાણ છે. બાળકથી વૃદ્ધ, મૂર્ખથી પંડિત, બધાય જેની રાતદિવસ ઝંખના કરે છે. તેનાથી કેમ આનંદ ન થાય? સર્વદેવ પંડિત હવા સાથે પૂરેપૂરો કૃતજ્ઞ હતા. સૂરિજીના ઉપગારનો બદલો આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલ ધનને અર્ધો ભાગ લેવા સૂરિજીને પ્રાર્થના કરી, પણ તેઓ તે પંચમહાવ્રતધારી જૈનાચાર્ય હતા. પરિગ્રહથી તદ્દન દૂર રહેનાર નિન્ય ધનને શું કરે? એક કેડી પણ સૂરિજીએ લીધી નહિ. અંતે સર્વદેવની પ્રાર્થનાથી સૂરિજીએ એક રસ્તો બતાવ્ય – “ઉપકારનો બદલે આપવો જ હોય તે તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગમાં તારું પણ નામ થાય.” આ ઉત્તર સાંભળી સર્વદેવ પુત્રપ્રેમને લીધે સંકેચાય પણ ઉપકારનો બદલે આપવાનો વિચાર તેને બેચેન બનાવતો હતો. પ્રભાવક ચરિત્રકાર લખે છે કે –તેવા વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું, અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારને બદલે નહિ આપવા સંબંધી પોતાના પાપને છેવાને વિચાર કરી સર્વદેવ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન સમયે ધનપાળે કારણ પૂછતાં ઉત્તરમાં સર્વદેવે જણાવ્યું કે –“મારૂ ગણ ચુકાવવા બેમાંથી એક પુત્રની જેનાચાર્ય માગણી કરે છે. આ ત્રણ ચુકાવ્યા વગર હું મરી જઉં તો મારી સગતિ થાય નહિ.” - પિતાની વાત સાંભળી ધનપાળ ચમક્યા અને કોધથી સર્વદેવને કહેવા લાગ્યું કે “તમે પોતાના પુત્રને ઉપકારને બદલે. જૈન દીક્ષા અપાવી આપણા કુળને કલંકિત કરવા માંગે છે ? આપણા કુળમાં શુદ્ધ યજ્ઞયાગાદિ વેદપાઠ કરનાર બ્રાહ્મણે થયા છે. બ્રાહ્મણે અને શ્રમ માં હંમેશાંથી વિરોધ ચાલતો આવે છે. આવી અવસ્થામાં For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy