________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શોભનમુનિના જીવન પર પ્રકાશ.
ચાલ્યા જાય છે, કેટલાએક બીજા વિષયના ગ્રંથ બનાવવામાં આનંદ કે લાભ માની કાવ્યના ગ્રંથ ઘેડા, બનાવે છે. અથવા બનાવતા ય નથી. આવી અવસ્થામાં તેવા કુદરતી કવિઓને આપણે * કવિ” નહિ માનીએ તો “એક મેટી ભૂલ જ ગણાય, ભયંકર અન્યાય જ થાય ” એમ મારું માનવું છે. જે તેમ ન હોય તો “સિદ્ધસેન દિવાકર ” કે જેઓનું “કલ્યાણ મંદિર સ્તોત્ર” સિવાય બીજું એક પણ કાવ્ય અત્યાર લગી મળ્યું નથી, છતાં તેમને માટે, હજારો લેકનાં કાવ્યો રચનાર આચાર્ય શ્રી હેમચંદ્ર જેવા મહાન કવિ “ મનુ સિદ્ધસેને વય:” (ર૦ રૃ. ૨-૨-૩ g૦ ૭૨) કહી મહાકવિનું માન આપે છે તે ન જ આપત. તેથી એમ માનવું જોઈએ કે કવિતા બનાવવી જુદી વસ્તુ છે અને કવિત્વ શક્તિ હોવી જુદી વસ્તુ છે, આપણા “ ભનમુનિ ” પણ તેવા જ કવિ હતા, કે જેઓ શબ્દાલંકાર અને ભક્તિના પૂરથી છલકતી “ નિસ્તુતિવરાતિ ” નામની એક જ કૃતિ જગતને આપી તરુણવયમાં સ્વર્ગવાસી થયા છે. તેમની પ્રસ્તુત કૃતિની અલ'ચના કરવાનું કામ આગળ ઉપર રાખી તે કૃતિના કતો ( શૈભનમુનિ ) ના જીવન ચરિત્ર તરફ હું વાચકોને લઈ જવા માગું છું .
શ્રી શેભન મુનિના જીવન પર પ્રકાશ. અત્યાર લગી પ્રકાશિત થએલ જૂના અને નવા ગ્રંથમાં શ્રી શેભન મુનિનું ર્જીવન ચરિત્ર બહુ જ ટૂંકાણમાં, અને તે પણ અપૂર્ણ મળે છે. તેમનાં જન્મસ્થાન, માતા, પિતા અને ગુરુના નામના સંબંધમાં અનેક ગ્રંથકારે જુદા જુદા મત આપે છે, પણ મને તો આમના જીવનના વિષયમાં મહાકવિ ધનપાળ (શોભન મુનિના વડીલ ભાઈ) ના ગ્રંથ, પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણિ વધુ પ્રમાણિક લાગે છે માટે આ ગ્રંથના આધારે હું કાંઈક લખીશ.
For Private And Personal Use Only