________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
is_) |
|
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
] ]
]]
]
વિક્રમની વીસમી સદી પૂરી એક પચીસી વટાવી ગઈ હતી. ને ઈસૂની વીસમી સદીને પૂરી એક પચીસીની વેળા હતી.
વીરનિર્વાણને ચાવીસસો સંવત્સર વીતી ગયાં હતાં. મહાન ક્રાંતિકાર સિદ્ધસેન દિવાકર ને સંમતભદ્રને બબે હજાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. મહાન વૃધવાદી, પ્રતાપી પાદલિપ્તસૂરિ જેવા તિર્ધ રેને અમર પ્રકાશ કાળની અનન્ત ચાદરોમાં ઝીણા ચળાતો હતા. ‘સ્યાહૂવાઢ રત્નાકર’ના સમર્થ કર્તા શ્રી વાદિદેવસૂરિ જેની સ્તુતિ કરતાં જેનો કૃપાપ્રસાદ યાચે છે–ને જેઓએ ભારતીય ઇતિહાસમાં ૧૪૦૦ ગ્રંથ રચી ચિરંજીવ નામના મેળવી છે, એ મહાન સુધારક, અપ્રતિમવાદી, પ્રખર વિદ્વાન શ્રી હરિભદ્રસૂરિને થયાં બાર વર્ષ વહી ગયાં હતાં.
1 કાળના પ્રવાહ વેગીલા છે. શ્રી હરિભદ્રસૂરિને પાંચસો વર્ષ વ્યતીત થાય છે. ત્યાં ‘કલિકાલસર્વજ્ઞ’નું મહામહિમાવંત બિરદ ધારક, ગુજ૨ રાષ્ટ્રના યુગદેવ, ગુજરેશ્વર જયસિંહ સિદ્ધરાજ ને પરમાત કુમારપાલ ભૂપાલના પ્રતિબંધક, ગુજરી અસ્મિતાના આદ્યજનક શ્રી હેમચંદ્રાચાર્ય ના જયજયકાર સંભળાય છે. આવા મહાન સાધુપું'ગવને પણ ગુજયે આઠસો વર્ષથી ઓછી ઓછી વેળ વીતી હતી.
કલિકાલસર્વજ્ઞ પછી પાંચસો વર્ષના વસમા કાળના અંતરે સિદ્ધરાજ ને કુમારપાલથી અધિકા ભારતભૂપાલ મંગલસમ્રાટ અકબરશાહે પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિજીને પણ પ્રગટયે ત્રણ વર્ષના કાળ વ્યતીત થઈ ગયા હતા, અને શ્રી હરિભદ્રસૂરિ પછી એક હજાર વર્ષે શ્રી સિદ્ધસેન, સંમતભદ્ર, હેમચંદ્રની યાદ તાજી કરાવનાર, માત્ર ઉપાધ્યાયપદ ધારક છતાં સરિરાજોની ક્ષમતા ધરનાર, નવ્યન્યાય રૂપી સમુદ્રનું આચમન કરી જનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની યશપતાકા લહેરાયાને માત્ર બે સૈકા વીતી ગયાં હતાં.
મસ્તફકીર આનંદઘનનાં મસ્તપદની લહરીઓ, સચ્ચિદાનંદમાં પાગલ બનેલા ચિદાનંદજીના પદોના ભણકાર ને પં. વીરવિજયજીની અદ્ભુત સૂરાવલિઓ હજી ભૂલી ભુલાતી
For Private And Personal Use Only