________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમન્ની વર્ણનશકિત પણ કમાલ છે –
કળા મેઘો તુજ પર ચઢી ગડગડી ખૂબ ગાજે, વેગે વિદ્યુત ચમક ચમકી રોશનીથી વિરાજે; વર્ષા વર્ષે ધડધડ રવે ચાતકો ખૂબ દોડે, શાભા તારી અનુપમ અહીં કોઈ ચાલે ન હેડે.
(સા. ગુ. શિ. કા., પૃ. ૪૧)
આ ઉદાહરણે ઉપરથી આપણને ખાતરી થાય છે કે, શ્રીમની કલ્પનાશકિત, શબ્દલાલિત્ય અને ભાષાપ્રભુત્વ ઘણું ઊંચા પ્રકારનાં છે. ઉપદેશ આપવામાં પણ તેઓ એટલું કલાચાતુર્થ વાપરે છે કે, સામાને તેઓ ઉપદેશ આપે છે એમ લાગે જ નહિ. નદીની વિવિધ કિયાઓ અને જુદાં જુદાં રૂપાંતરોમાંથી જાણે ઉપદેશની ધારા સ્વયંસેવ ટપક્યા કરે છે. વિચારો સ્વાભાવિક રીતે જ વહ્યા જાય છે, અને શબ્દમાળાનાં મણકાની પેઠે એક પછી એક બેઠવાયે
જાય છે.
આટલું કહ્યા પછી શ્રીમદ્દનું કુદરત પ્રતિ કઈ જાતનું વલણ હતું તે જણાવવું જરૂરી છે. કુદરતને તેઓશ્રી એક મહા શકિત-જીવતું જાગતું બળ ગણતા. એ શકિતને અનુસરતું જીવન અને વતન એ જ સાચું જીવન અને વન છે. તેનાથી દૂર જતાં મનુષ્ય ખત્તા ખાય છે. દરેક બનાવની પાછળ કુદરતી બળ-ચૈતન્યશક્તિ રહેલ છે, એમ તેઓ માનતા. આથી કુદરતના બાધાંગ ( External Nature ) કરતાં તેનાં આંતરિક રહસ્ય ઉકેલવામાં તેમને અધિક આનંદ થતો. બેશક આ ભાવના બાહ્ય કુદરત પરના તેમને અગાધ પ્રેમની નિશાનીરૂપ જ છે. તેમને પોતાને આ કુદરતી વાતાવરણમાંથી સત્ય માટે ખૂબ પ્રેરણા મળતી. નદી, પર્વત અને કંદરાઓની ભવ્યતાએ તેમના હૃદયપટ પર ઊંડી અસર કરી હતી. કુદરતના ખોળામાં કૂદવાનું તેમને અત્યંત ગમતું. ધીમે ધીમે વિશ્વની દરેક ઘટનાની પાછળની સંચાલકશકિત કુદરત છે, એમ તેઓ માનવા લાગ્યા. કુદરત ચર્મચક્ષુઓને જેટલે આનંદ આપે છે તેટલે આંતર ચક્ષુઓને આપે છે, એ માન્યતા તેમના હૃદયમાં દઢીભૂત થતી ગઈ. છેવટે કુદરતમાં પ્રભુ છે, અથવા કુદરત પ્રભુમય છે, એ સત્ય તેમણે સમ્યગ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યું. કુદરતના અણુ અણુમાં પ્રભુનો વાસ છે, સર્વ વસ્તુઓની સંજીવન શકિત તે જ છે, અને તેના જ નિયમ પ્રમાણે સર્વ દ્રવ્યનું વર્તન થયા કરે છે, એવી સચોટ પ્રતીતિ તેમને થઈ. જુએ---
“કુદરતપ્રભુ જે જે કરે, તે અન્ય કયારે ના કરે”
(સ. ગુ. શિ. કાવ્ય, પૃ. ૭૬ )
વળી,
For Private And Personal Use Only