SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ આચાર્ય અને હિન્દની સ્વતંત્રતામાં વિનો ન નાખે તથા હિન્દને સહાય કરે એમ પ્રભુને પ્રાર્થના કરવામાં આવે છે અને તેમ ઈચ્છવામાં આવે છે. ચાર પ્રકારનું સ્વરાજય સર્વ ખંડમાં એશિયાખંડ વિશેષતઃ સત્વગુણી છે અને ત્યાં સર્વ ધર્મોની ઉત્પત્તિ છે. એશિયાખંડમાં પણ ભારત, સર્વ દેશ કરતાં વિરોષ સત્વગુણી છે; અને ભારતમ ઈવરાવતારી મહાત્માઓ, તીર્થકરો, ત્રાષિઓ પ્રગટ્યા છે અને પ્રગટશે. આર્યાવર્તાનાં જૈન શાસ્ત્રોમાં, સ્મૃતિઓમાં, ઉપનિષદોમાં, આગમમાં, વેદોમાં સાત્વિક રાજ્યની નીતિરીતિઓનું ઘણું વર્ણન છે; તેમ જ આય વત્ત માં વિશેષતઃ સાત્વિક રાજયની પ્રવૃત્તિ થઈ છે. હિંદીઓએ પ્રાચીનકાળથી સાત્વિકસ્વરાજયની પ્રવૃત્તિના સંસ્કાર ગ્રહણ કર્યા છે, તેથી તેઓ શત્રુઓનું પણ સ્વ-ગ્રહમાં ગમન થતાં મિત્રની પેઠે આતિથ્ય કરે છે. હિંદીઓના ધામિક સાત્વિક આચારોમાં અને વિચારોમાં તેઓનું સ્વરાજ છે. જૈનો જૈન ધર્મ પ્રમાણે ગૃહસ્થ ધર્મનું પાલન કરે તો તેઓ બાહ્યાંતર સ્વરાજયના ભેતા બને છે, અને જૈન શાસ્ત્રોના આધારે આંતર સ્વરાજ્ય સ્વતંત્રતાની પ્રાપ્તિ કરે છે. ત્યાગી સર્વોત્કૃષ્ટ નિત્ય આત્મરાજયના કર્તાઓ છે. સર્વ મનુષ્યો કંઈ આમિક સુખના એકદમ નિશ્ચયવાળા બનતા નથી, તેથી તેઓ ગૃહસ્થાવાસમાં રહીને ક્રમે ક્રમે આત્માના સ્વરાજયની દિશામાં ગમન કરે છે. હિંદીઓને સ્વરાજય કરતાં આવડે છે. પશુબલના દુષ્ટ પ્રયોગથી સ્વરાજય કરનારાઓ વસ્તુતઃ મનુષ્યોની વિકાસ પામતી ગુણશક્તિઓને ગુંગળાવીને મારી નાખે છે. કલિયુગમાં કલિયુગના અનુસાર સ્વરાજય પ્રવૃત્તિ હોય અને સત્યયુગના જેવી સ્વરાજય પ્રવૃત્તિ ન હોય એમ વસ્તુતઃ છે; પરંતુ ધ્યેય તો સત્યકાલીન સ્વરાજ્યના જેવું રાખી પ્રવર્તાવું જોઈએ. જ્ઞાની મનુષ્યોની સત્તાનું સ્વરાજ્ય તે બ્રાહ્મણ રાજ્ય છે. “રક્ષણ શક્તિની મુખ્યતાનું રાજ્ય તે ક્ષાત્ર સ્વરાજ્ય છે. “વૈશ્યાના ગુણકર્મની મુખ્યતાનું રાજ્ય તે વૈશ્ય સ્વરાજ્ય છે, અને સેવકોના ગુણકમની મુખ્યતાનું સ્વરાજ્ય તે શૂદસ્વરાજય છે. જ્ઞાન વિના રાજય નથી-શકિત વિના રાજય નથી. વ્યાપાર-કલા કૃતિ વિના રાજય નથી, સેવા વિના સ્વરાજય નથી. જ્ઞાનાદિ ચારે શકિતઓના સમુદાયવાળું એક રાજય તે આર્ય મહારાજય છે. એવું પ્રાચીનકાળમાં રાજય પ્રવતતું હતું તેની શાસ્ત્રો સાક્ષી પૂરે છે. હિન્દવાસીઓની બાહ્ય પડતી અને બાહ્યપરતંત્રતા થવાનું કારણ જાતિભેદ, કલેશ, ધર્મભેદયુદ્ધ, જન્મભૂમિદ્રોહ, ફાટ કુટ, ઈર્ષા, વહેમ, અજ્ઞાન, દુર્વ્યસન, દુર્ગણ અને વિચારાચારમાં રહેલી જડવાદતા છે. ધમભેદે બૌધનાં, જનનાં અને હિન્દુઓનાં યુદ્ધ થયાં. હિન્દુઓનાં અને મુસલમાનનાં યુધ અને કુસંપ કલેશ તથા પરસ્પરનો દ્રોહ જ પડતીનું કારણ છે. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy