________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુના નાટારંભ
અમદાવાદમાં અન્ય નગરો કરતાં–પ્રમાણમાં વિશેષ શાન્ત વાતાવરણ માં ફરી જ્ઞાનાધ્યયનની સરિતા વહી નીકળી.
વિ. સં. ૧૯૬૫ ના ચાતુર્માસમાં અડધે રસ્તે રહેલા શ્રી વિશેષાવશ્યક સૂત્રને આગળ ધપાવવા માટે પ્રસિદ્ધ શ્રેતા શ્રાવક છેટાલાલ લક્ષ્મીચંદ, શાહ હીરાચંદ કકલભાઈના આગ્રહ થવાથી છુ.તજ્ઞાનના અધિકારથી તેનું વાચન શરૂ કર્યું. ઉત્તર વ્યાખ્યાનમાં ‘ધમ રત્ન પ્રકરણ ? ગ્રંથ વાંચવા શરૂ કર્યો.
અષાડ સુદ્ર બીજના રોજ મુનિશ્રી વૃદ્ધિસાગરજી તથા મુનિશ્રી જીતસાગરજીને દશવૈશાલિક સૂત્રની ટીકા વંચાવવી શરૂ કરી. પૂરું થયે કલ્પસૂત્રની ટીકા વંચાવી.
શેઠ પન્નાલાલ ઉમાભાઇ, માસ્તર હિંમતલાલ મગનલાલ તથા ઝવેરી ચંદુલાલ ગોકળભાઈને પાંચ કર્મગ્રંથની ટીકાને અભ્યાસ શરૂ કરાવ્યું.
હીરાચંદ કકલભાઈને પ્રાણાયામ શીખવવા માંડયા. ધીરેધીરે અનેક જ્ઞાન ને ધ્યાનના ખપીનું મંડળ આ મધપૂડા પાછળ ભમવા લાગ્યું. મધ ૩ડાનો મનમેળ માલિક કંજુસ નહોતો. ચોગ્યને યોગ્ય મળી જ રહેતું. શ્રાવણ મહિનાના મધ્યાહન કાળે શેઠ છોટાલાલ લક્ષ્મીચંદ્ર તથા શેઠ ભેગીલાલ તારાચંદ્ર વગેરેને અાગમસાર ગ્રંથ ભણાવવા શરૂ કર્યો શેઠ સુજાણુજી તથા સાદેવી શિવશ્રીજી તથા હિતશ્રી જી વગેરેને વિશેષાવશ્યક વંચાવ્યું.
' અને શેષ કાળ પોતાના સુવિસ્તૃત સ્વાધ્યાયમાં, લેખન ને વાચનમાં વ્યતીત થતો. વધારામાં સત્સમાગમના આતુર આ આત્માની કેટલીક ધુન્ય ક્ષણો તેમાં જતી. આંબલી પિળના ઉપાશ્રયની પાસે જ વખતચંદનો હવેલીમાં ખરતરગચ્છીય પંડિત મુનિ કૃપાચંદ્રજી ઊતર્યા હતા, તેઓ પોતાના સાધુઓ સાથે ચરિત્રનાયક પાસે આવતા, ને ધમ ચર્ચા કરતા.
| નીતરેલી વાદળી સમા ચરિત્રનાયક જ્યારે અન્યદશનેના ગુણાનુ સન્માન કરતા હોય, ત્યારે એક મગની બે ફાડ જેવા આ સાધુઓના સન્માનથી કેમ દૂર રહે ? બંને વચ્ચે સમદ્રષ્ટિથી સદા ચર્ચાઓ ચાલ્યા કરે, શ્રી. કૃપાચંદ્રજી ચરિત્રનાયકની વિદ્વતા, વાદકુશળતા
For Private And Personal Use Only