SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૪ યોગનિષ્ઠ આચાર્ય - સાધુ-સંન્યાસીઓના સંસર્ગમાં મસ્ત રહેનાર ચરિત્રનાયક એક વાર સ્થાનકમાગી ઉપાશ્રયે જઈ ચડયા. ભેદ કે વિભેદ તે તેમને પર્યા નહતા. તેમણે ત્યાં અઠ્ઠા જમાવ્યા ને ઉપદેશ શરૂ કર્યો. ઉપાશ્રયમાં શ્રી. અમીરખજી આદિ ચાર સ્થાનકમાગી સાધુઓ હતા. ધીરે ધીરે તેઓ ચર્ચામાં ભાગ લેવા માંડયા. જૈનમૂર્તિ વિષે પ્રશ્ન નીકળે. અન્ય કઈ હોત તે ઉગ્ર ઝનૂનથી તેને વિધિ કે નિષેધ કરતા પણ અહીં એવું ઝનૂન હતું જ નહીં. સત્યાન્વેષી દ્રષ્ટિથી તેઓએ ધર્મનો ઈતિહાસ, ધર્મનુ સાથે શું ને સાધન શું? મૂર્તિપૂજક માણસને સદા મૂર્તિ-દેહ પર મોહ રહ્યો છે, છતાં મૂર્તિને નિષેધ થવાનાં કારણોની પણ ચર્ચા કરી. એ કારણે સાચાં હતાં, પણ કાર્યમાં ભૂલ હતી! શ્રી અમીરબજી આ સંતનું નિષ્પક્ષપાત વિવેચન સાંભળી રહ્યા. આમ સંસર્ગ મિષ્ટ થયો ને આગળ વધે. બીજી મુલાકાતે જૈનશાસ્ત્રો વિષે ચર્ચા ચાલી. શ્વેતાંબરોએ જાળવેલાં આગમો, દિગબરએ આગમો છોડી વિદ્વાન આચાર્યોના ગ્રંથ સ્વીકારેલા, ને સ્થાનકમાગીએએ રચેલા ટબા, આ વચ્ચેની સુંદર મીમાંસા કરી ને આગ્રહ કર્યો કે વિદ્વાન છે, બુદ્ધિશાળી છે તે બધું વાંચે વિચારે. સારું લાગે તે સ્વીકારે. બોરસદથી વિહાર કરતાં પહેલાં શ્રી. અમીરખજી અને તેમના સાધુઓએ નિર્ણય કર્યો કે આ સંતની પાસે દીક્ષા લેવી ને તેમની પાસે રહેવું, ભણવું, શાસ્ત્રો જેવાં ને આત્મકલ્યાણ કરવું. તેઓએ પોતાને વિચાર ચરિત્રનાયકને જણાવ્યું. તેમણે કહ્યું : “ઈરછા થાય ત્યારે ખુશીથી આવજો.” ચરિત્રનાયકે કાવીઠા તરફ વિહાર કર્યો. અમીરખજીએ ખેડા તરફ પણ બંનેનું ધ્યેય એક જ તરફ હતું. વિશેષ પરિચય પત્રવ્યવહાર દ્વારા ગાઢ બનતો રહ્યો. કાવીઠામાં શ્રીમદ હુકમમુનિજી તથા શ્રી રામચંદ્રજીના ચુસ્ત ભકત શ્રી ઝવેરભાઈ તથા રતનચંદ્રભાઈ ચરિત્રનાયકના અધ્યાત્મ એગ જ્ઞાનાચારથી મુગ્ધ બની આજીવન તેમના ભક્ત બન્યા. ચરિત્રનાયક અમદાવાદ પહોંચ્યા ત્યારે લગભગ બધી વાતને નિર્ણય થઈ ચૂક હતો છતાં સમાજભય, ભક્તનો ત્યાગ વગેરે બાબતે સાધુ અમીરખજીને મૂંઝવી રહી હતી. છેલ્લો પત્ર વરઘોષણા કરતા આવ્યા? “વહાલા શુધ્ધાત્માઓ, તમે અમૂલ્ય સમય સદ-ઉપગમાં ગાળશે. નિષ્કામ બુદ્ધિથી હું કેણ, કયાંથી આવ્ય, કયાં જઈશ, શું કરવું ઈત્યાદિ વા પર એકાંતમાં વિચાર કરશે. બંધુઓ, સત્સમાગમના આનંદને સ્વાદ કરવા ચાહું છું. અંતર પ્રદેશમાં સુખ શેઠું છું. આત્મામાં ઊતરીને કંઈ આત્માનંદ સ્વાદ છે, તે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy