________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobetirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ आचार्य
સરખાવવા ? પણ એટલું કહીશ કે આ બધામાંથી મને અનભાવતી એક મૂર્તિ મળી જેને યથામતિ અહીં રજૂ કરવા પ્રયાસ કર્યાં. જીવનચરિત્રના લેખકની અનેકવિધ યાગ્યતાઓમાંથી મારી પાસે કેટલી છે, તે હું જાણતા નથી. પશુ કલમ વાટે એક સુકૃત્ય કર્યાના મને સાષ અવશ્ય છે !
1000
જે સમયે આધ્યાત્મિક દારિદ્રય આપણને વળગ્યુ` છે, વિચારાનુ એકાંગીપણું ને આગ્રહીતત્ત્વ આપણાં મન-બુદ્ધિ ને હૃદયને આવરી બેઠુ છે, વન તા પાથીમાંનાં રીગણાં ’ જેવું બની બેઠુ છે; એ વેળા જૂની મૂડીનું આ એક જવાહિર આપણી સમક્ષ રજૂ થાય છે. અન્યને તિરસ્કારવામાં તેજીલી આપણી ધર્મનિષ્ઠાને જરા સંવેદનશીલ બનાવીએ, પાણીમાંથી પેારા કાઢવાની આપણી કૂનેહને વિસારે પાડીએ, અને કોઈનું સારું' જોઈને દ્વેષ નહિ પણ પ્રેમ ધારીએ તા જ આપણે જૈનધર્મનાં બે મહાન તત્ત્વા—અહિ'સા ( અન્ય જીવા તરફ સદ્ભાવ ) તે અનેકાન્ત ( અન્ય ધર્મ તરફ સદ્ભાવ ) ને અમલમાં મૂકનાર આવા અબધૂતાની કઈક ઝાંખી કરી શકીશું. ને જડવાદમાં ડૂબતા જતા જીવનને ધર્મથી ધારી શખી શકીશું!
આ જીવનકથા લખતાં મેં ઘણું ઘણું છેાડી દીધુ છે. ઘણું રહી પણ ગયું છે ને ઘણું છૂટી પણ ગયું છે. લખવામાં ઘણા વિલંબ થયા છે. તે છપાવવામાં એથી વધુ થયા છે. કંટ્રોલ ને બીજી અગવડાએ ભારે ડેશન કર્યો છે. વિગતા તે હજી એટલી અણુપ્યૂટ છે, કે બીજો એક આવડા ભાગ થઈ શકે તે હજી લગભગ અસ્પ રહેલી રાજનીશીએ તા મારા મનને સતત ખે ́ચી રહી છે! અરે, આટલી નિભીક ને નિખાલસ રીતે લખાયેલો જૈન સાધુની રાજનીશી કર્યાં મળે? શા માટે એનું સળંગ પ્રકાશન ન કરવું...!
હાલ તરત તેા એ તમામ સાધનસામગ્રીના સહકારથી જેવી બની તેવીજ ગલમાં કેડી તૈયાર થાય તેમ-આ એક જીવનછબી તૈયાર કરી છે. કેવી થઈ છે તેના નિર્ણય વાંચકા ને વિવેચકો કરે, પણ મનને એમ લાગે જ છે કે હજી વધુ મનની શાન્તિ, વધુ ચિત્તના પ્રસાદ ને સમયનો વિશેષ અસકાચ હાત તા આથી પણ વધુ સુંદર થાત....પણ તેર મણુના તા”ને ભૂલી જઈ એ. આજની ઘડી રળિયામણી. જે ઘડીએ જે થઈ ગયુ. તે વાહવાહ!
આ જીવનકથાના લેખનકાર્યોંમાં ને મુદ્રણકાર્ય માં પહેલેથી છેલ્લે સુધી
[ ^ ]
For Private And Personal Use Only
23