________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય બનાવી નથી, તેથી બ્રિટિશ રાજ હાલ સંપૂર્ણ નીતિને શિખરે વીરાજે છે. હિન્દુઓ અને મુસ્લિમોએ બ્રિટિશની રાજ કરવાની પ્રશસ્ય નીતિને ગ્રહણ કરવી જોઇએ. પિતાનું બધું સારું છે એવો મિથ્યા અહંકાર તો જોઈએ. યુરોપીય રાજ્ય કરતાં પૂર્વનાં આર્ય રાજ્યો સારાં હતાં, પણ તેઓના ગુણે અને તેવાં કર્તવ્યો હાલ નહીં હોવાથી, હિન્દુઓએ તેવા ગુણો પ્રાપ્ત કરવા જોઈએ.”
ભારતવર્ષની પ્રગતિની આડે નાગચૂડ જેવો ભરડો લઈ બેઠેલ હિન્દુ-મુસ્લિમ અકયને પ્રકનનું તેમને પણ ધ્યાન છે. તેઓ કહે છેઃ
“હિન્દુ-મુસ્લિમ એજ્ય અનેક ગુણોથી થશે ત્યારે હિન્દમાં હિન્દીઓનું રાજ્ય સ્થપાશે, અને બ્રિટિશ પ્રજા પણ હિન્દી અને મુસ્લિમોની મિત્રી સાધશે. મુસલમાનોમાં હદબહાર ધર્માધતાને જુસ્સો છે, અને તેથી મુસલમાનો પ્રસંગોપાત એકદમ હિન્દુઓની સાથે કલેશ કરતાં, લડાઈ ટામાં પડતા અચકાતા નથી. આવી દશામાં હિંદુસ્તાનમાં અંગ્રેજ રાજનું અસ્તિત્વ ઠીક છે; પણ જ્યારે બંને કામ પતે ધર્મભેદે રાજ્યપ્રકરણમાં સંપીને રહેશે અને બંને મળીને રાજ્ય ચલાવવાને લાયક થશે એટલે દેવી સત્તાના બળે આપોઆપ તેઓ જન્મભૂમિમાં રાજ્ય કરતા થશે. ”
આટલી કડક વિવેચના પછી તેઓ આદશ રાજ્યની પિતાની કલ્પના રજૂ કરે છે.
પ્રજાઓને જેઓ આત્મ સમાન ગણે છે, તે ખરા રાજાઓ છે. જેમાં પ્રજાના સુખમાં તન, મન, ધનથી હોમાઈ જાય છે તે રાજાઓ છે. અન્ય પ્રજાઓને ગુલામ બનાવી તેઓનું ધન, રસ, કસ ચૂસી ખાઈ જવું તે કાંઈ સત્ય રાજ્યનું લક્ષણ નથી. હિન્દુસ્તાનને ગુલામ બનાવનાર લોકે અંતે ગુલામ બને છે. સર્વ મનુષ્યનું એકસરખી રીતે પાલન કરનાર સત્ય રાજ્ય છે. ખરો રાજા અલ્પ ખર્ચથી ઉદરનિર્વાહ કરે છે અને પ્રજા પર કરનો બોજો વધારતા નથી. રાજાને માબાપ, ઇશ્વર ગણનારી પ્રજાની જે રાજાએ હાય, શાપ લે છે તેઓનું જડમૂળથી નિકંદન જાય છે. ધર્મ, ન્યાયના બહાને અનેક યુધ્ધ કરીને હજારો લાખ્ખો મનુષ્યનાં જાન લેવા એ ન્યાયનું યુદ્ધ નથી; તેમ જ પોતાને તથા પોતાના સ્વદેશીઓને નાશ કરવા માટે અન્ય દેશના સેન્યો ચઢી આવે તે વખતે સ્વાથી, તમોગુણી, દયાળ તથા મરણ ભીતિથી નામ થઈને અન્ય દેશીય સૈન્યના તાબે થઈ ગુલામ બનવું એ તો નિંદનીય છે. પશુઓ, પંખીઓ તથા સર્વ જાતીય મનુષ્યોના રક્ષણાર્થે રાજ્યની જરૂર છે. જ્યાં રાજા અને પ્રજામાં ભેદ, વેર છે, તેવું રાજ્ય વિનાશ પામે છે. પ્રજાને લુંટી ખાય તે રાજ્ય નથી; તેમ જ કાળી, ગોરી અને પીળી ચામડીમાં ભેદ રાખનાર સત્ય રાજ્ય નથી.”
વિવેચના વધુ ઊંડાણ લે છે.
પૂર્વકાળમાં સંત મુનિઓ અને બ્રાહ્મણનું રાજ્ય હતું. પછીથી યુધ્ધકુશળ રાજ્ય સર્વત્ર વિશ્વમાં પ્રસર્યું. ત્યાર બાદ હવે વણિકવૃત્તિવાળા વૈશ્યનું રાજ્ય હાલ ચાલે છે. લક્ષ્મી માટે રાજ્ય કરવું તે વૈશ્ય રાજ્ય છે. એવા વૈશ્યની વૃત્તિની મુખ્યતાથી વૈશ્ય રાજ્ય ઘડાય છે. હવે પછીથી શૂદ્ર રાજ્ય પ્રગટશે. તેમાં નોકરીની સેવાવૃત્તિની મુખ્યતાના વિચાર-આચારવાળાઓથી રાજ્ય પ્રવર્તાશે. સેવાધર્મની મુખ્યતાવાળા રાજ્યમાં સર્વ પ્રજાઓ પોતે રાજા થશે અને તેઓ રાજાની પણ જરૂર સ્વીકારશે નહિ, અને રાજા રાખશે તો પણ એક પૂતળા જે રાખશે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ધર્મે-ગુણકર્મો સામે જે રાજ્ય ચાલે છે તે રાજ્યમાં કોઈ પણ વર્ગના મનુષ્યને અસંતોષ રહેતો નથી. પક્ષપાત જુઠ, જુલમ, અનીતિ, અન્યાય, યુદ્ધ વગેરે પાપકર્મોથી રોગો ચાલે છે, અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ થાય છે, જવાળામુખી પર્વતે ફાટે છે, ધરતીકંપ થાય છે, અને રાજા અને પ્રજાનાં પાપથી દેશ પરતંત્ર અને દુઃખી બને છે. હિન્દુસ્તાનમાં હિન્દુઓ
For Private And Personal Use Only