________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
| ચિંતક બહેચરદાસ
[ ૧૨ ] .
અમથી પરિશ્રમ કરે, એ પરિશ્રમ તમને પ્રભુ પાસે પહેંચાડી દેશે. પરિંશ્રમને પ્રભુ માનનારા કદાચ ભિન્ન શબ્દોમાં ભિન્ન સિદ્ધાન્ત રજુ કરશે; પરન્તુ તાત્વિક રીતે તેમાં કશે ભેઢ નથી. ભલે કઈ શાબ્દિક ભેદ હાય ! )
Cી પ્રેમની કયારીમાં બહેચરદાસ પરિશ્રમનાં વારિ સી’ચતા જ ગયા. રાપેલાં બીજ પ્રyલિત થતાં ગયાં, ને અંકુરમાંથી છોડ થા ને વાવેલાં છેડે ફૂલ બેઠાં. પણ આ શું? આ તે કેઈ નવાં જ રૂપ-રંગનાં પુષ્પો ખીલ્યાં ! ધાર્યા નહોતાં એવાં ગુલાબ મહેકી રહ્યાં. સુગ ધના ભેગી ભ્રમરને આશ્ચર્યના આઘાત ન લાગ્યા. એણે તો સુગધના અ'બાર ઉતારવા માંડયા.
| અભ્યાસ ને અનુશીલન ચીમને પ્રભુદર્શનની તાલાવેલીમાંથી પ્રભુત્વની મામિક મીમાંસામાં ઉતારી ગયાં. અરે, જે પ્રભુને પામવા પ્રેમ-જીવન એ જીવી રહ્યા હતા, ત્યાં એ પ્રભુના સ્વરૂપની નવી વ્યાખ્યા તેમની સામે આવી પડી રહી.
| “ સર્વ કર્મોને ક્ષય કરનાર, રાગ-દ્વેષમાંથી સર્વથા મુક્ત થનાર આત્મા, જેને જન્મ ને મૃત્યુ અવશેષ રહ્યાં નથી. એ જ ઈશ્વર, એ પરમાત્મા, એ જ પ્રભુ !
એ ઇશ્વર આલેખન થઈ શકે છે, એનું ચરિત્ર માનવજીવનને આઢને પંથે લઇ જઈ શકે છે; બાકી એ જગત રચતા નથી, સંહારતો નથી, સજતા નથી. અવતાર લેતા નથી ને ભક્તને ભીડ પડે વગમાંથી પૃથ્વીપટ પર સંચરતા નથી. 7 SS
બહેચરદાસનું સાધક હૃદય આઘાત અનુભવી રહ્યું. ઈશ્વરે જગત ન કર્યું તે કાણે કર્યું ? એકને રાય ને બીજાને રંક કેસે બનાવ્યો ? આ સૂર્ય, નક્ષત્ર ને તારા ! આ પુણ્યપાપનાં સદા ઘૂમતાં ચક્રે કેણે ગતિમાન કર્યા ?
For Private And Personal Use Only