SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 'www.kobatirth.org ૧૮ ચેગનિષ્ઠ આચાય જ્ઞાનયિામ્યાં મોક્ષઃ । જ્ઞાન સાથે ક્રિયા પ્રત્યે અભિરુચિ હાવી, એવા બહેચરદાસના ગુરુશ્રી રવિસાગરજી મ.ના ઉપદેશ હતા. વાતનાં વડાંથી પેટ ન ભરાય, એ સાદી વાત બહેચરદાસ પણ જાણતા હતા. એમણે સામાયિક સૂત્ર પૂ રુ થતાં એક દિવસ બધા શ્રાવક સાથે બેસી સાય પ્રતિક્રમણ કર્યું, સૂમમાં સૂક્ષ્મ પાપે પ્રત્યેની એ આલેચના! કેટલી પાપભીરુતા, કેટલી માનસિક નિમળતા, અધ્યાત્મ તરફ ધસતું દિલ ને શ્રધ્ધાથી ઉછળતા કેવા આનંદ ! ચરિત્ર નાયક કહેતા કે ‘ મુગ્ધ મનના એ વેળાના આનંદની તેાલે-બુધ્ધિશાળી ને જનાચાય થયા પછી પણ આવા આનંદ મને આબ્યા નથી. ’ ગુરુનિર્દેશ મુજબ સર્વ પ્રથમ શ્રી કુંથુનાથના દન સમયે હૃદયમાં જે આનદના આધ ઉમટેલો એનું મૂલ્યાંકન પછીની જિંદગીને માટે અશકય થઇ ગયું. આ એ પ્રસંગોએ હૃદયમાં આવેલી આન ંદામિએ જીવનનું એક સુખદ સ્મરણ મની ગઈ ! એવી ઘડી જાણે મીજી ન જ લાધી ! એનાં પુણ્યસ્મરણાં જ રહ્યાં. એ શ્રદ્ધાભર્યાં, નિર્વ્યાજ, તહીન, શંકાહીન આનંદ જાણે ગયા તે ગયે. છતાં એનાં સુભગ સ્મરણુાં એમના આત્માને વિકસ્વર કરતાં રહ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir એવામાં ચૈત્રી ઓળીના દિવસે આવ્યા, અનેક જના શ્રધ્ધાભરી રીતે આ પ્રસગને આરાધવાના ને અરિહંત, સિધ્ધ, સાધુ, રૂપ નવપદની ઉપાસના કરવાના. જૈનેામાં નવપદજીતું અપૂર્વ માહાત્મ્ય છે. ભાવિકા રાગ, શાકના નિવારણની અજબ શ્રધ્ધા ધરાવે છે. નવ– પદજીની આય’મિલની આળીના દિવસે આવ્યા ને બહેચરદાસ પેાતાના એ મિત્રો સાથે જેની સાથે કુસ્તી કરતા, કવિતા કરતા, કુદરતની મા લૂટતા, તેની સાથે આળી કરવાના પણ નિ ય કર્યાં. આળી માટેનાં આયખિલ ચાલુ થયાં. ઘી, દૂધ, દહી. તેલ, મરચું વગરનું સૂકું ભેાજન જમવાના એ તપમાં તેમના એક મિત્ર પાછા પડયા. તબિયત લથડી ને તપ મૂકી દીધું. પણ બહેચરદાસ મકકમ હતા. એક, બે, ચાર દિવસે વીતી ગયા, પણ અચાનક એક દિવસ ઉલટીઓ થવા લાગી, હાડમાં તાવ ભરાયેા. શરીરના તેા સાંધેસાંધા જાણે છૂટા થવા માગતા હાય, તેમ અંગ કળવા લાગ્યું. પેાતાના મિત્રે આ કારણે તપશ્ચર્યા મૂકી દીધી. હવે પેાતે પણ મૂકી દેવી ? કૂસ્તીના મેદાનમાં મિત્રની સાથે પેાતાની હાર પણ ઉમેરવી ? અટલ નિશ્ચયબળવાળા બહેચરદાસના આત્મા જાણે છંછેડાઇ ઊઠયા. હજી તે કપરી જીવનખેડ બાકી હતી. બધામાં આવી પરાજિત મનેદશા ધરાવીશ, તો જયવારા કયારે ભાળીશ. ભલે દેહ કાલે પડતા હોય તેા આ પડતા. આજે પડતા હાય તે અબઘડી પડે. આદર્યું અધૂરું નહી' જ રહે. બહેચરદાસે પેાતાને અટલ નિશ્ચય સહુની સામે જાહેર કરી દીધા. નિર્ગુ ય જાહેર કરવાનું કારણ એ હતું કે કદાચ ગુપ્ત રાખતાં કષ્ટથી મનને છટકવાનું બહાનું મળે ! તપશ્ચર્યા પૂરી થશે જ. દેહનું ગમે તે થાય. આ વેળા માતાસમાં જડાવકાકી આગળ ધસી આવ્યાં. એમણે આ મહત્ત્વાકાંક્ષી બાળકને માતાનુ' વહાલ આબુ'. માતાની સેવા આપી, માતૃત્વની સંજીવની આપી. બહેચરદાસે કપૂવ ક પણ તપશ્ચર્યાં પરિપૂર્ણ કરી, કૂસ્તીના દાવપેચમાં ન હારનારા આ કમ -કૂસ્તીમાં હારવાનું પસંદ કરતા નહાતા. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy