________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શીરા માટે શ્રાવક ?
મનને બહેલાવે છે. અહેચરદાસનું મન બહેલતુ' જ ગયુ. એને અંતરાત્મા આ વાતાવરણમાં પુલકિત જ અનતે ચાલ્યે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ભકિતભર્યું જીવન જીવવું.
૩ જ્ઞાન અને ભિકતથી જીવનને શુધ્ધ કરી પ્રભુઠન કરવું.
વિદ્યાશાળામાં તેએાને સૂવા-બેસવાનું, ને એ જ વિદ્યાશાળામાં અનેક સાધુઓના રેનબસેરા ! જ્ઞાનની સાથે ભક્તિના તત્ત્વમાં શ્રદ્ધા ધરાવનાર બહેચરદાસ આ બધાની સેવા સુશ્રુષા પણ કરે. કોઇ એમને સસ્કારી લેખી હેતથી એ વચન કહે. કોઇ શિષ્ય કરવાની લાલચે એમને કંઇ કંઈ કહે! કેાઇ વળી ભેાળે ભાવે ભદ્રિક જીત્ર સમજી પ્રેરણા આપે. પણ આ બધામાં બહેચરદાસના ધ્રુવતારક નક્કી હતા. ઉપવનમાં ફૂલડાં તે અનેક હતાં, પણ આ મધુમક્ષિકાને તે। મધુને યેાગ્ય સુરસ ને પરાગ લેવાના હતા. એમના નિણૅય હતા,
૧ મળે તેટલુ જ્ઞાન ઉપાર્જન કરવુ.
૧૭
ભકિતનું ખમીર એમને વારસામાં મળ્યું હતુ,ને પ્રભુદર્શનને યોગ્ય નિખાલસ હૈયુ એ તા આ ધરતીના બાળ ખેડૂને સહજ હતું. જ્ઞાનના ચેત્ર બાકી હતા, તે આ રીતે સધાતે
ચાલ્યે.
દેશી નથ્થુભાઇ આ હીરાને પહેલ પાડનાર ઝવેરી બન્યા. તેમણે બહેચરદાસના માથે નવી સ્વ-પરહિતકારી ફરજ નાખી, સારા સારા ગ્રંથા તેમને વાંચી સંભળાવવાની. આ ગ્રંથાના વાચને બહેચરદાસને ઘણું આપ્યુ. તેમની માનસિક ભૂમિકામાં નવા નવા અંકુર રોપવા શરૂ કર્યાં, અને ઉમાસ્વાતિ મહારાજની ઉકિત મુજબ શ્રોતાને લાભ થાય કે ન થાય, પણ યંત્રતુજી વાતતો મતિ ! એ પ્રમાણે વાંચનારના હૃદયઅરીસા પર સારા પડછાયા પડવા લાગ્યા. બહુશ્રુતતા, અનેકાંગી જીવનકેણુ ને વિશાળ દૃષ્ટિબિંદુ તેમને લાધ્યાં. ઇતિહાસના એ અભ્યાસી બન્યા. ભૂગાળના એ જ્ઞાતા બન્યા.
પણ હિંદુઓના જ્ઞાનજીવનના પ્રથમ પાયારૂપ સંસ્કૃત ભાષા શીખવાની તેમને અત્યંત આવશ્યકતા જણાઈ. હિંદુશાસ્ત્રોની આ મહાભાષા વિના તે જીવનનાં સર્વ સ્વપ્ન અધૂરાં રહી જાય. અનેક ધમ, અનેક દર્શીન, જીવ, આત્મા ને જગત વિષેની મીમાંસા, જેની પાછળ ઋષિમુનિઓના જીવનનીચેાડ છે, એનાથી વંચિત રહેવાય. એમણે પેાતાના પિતા નથુભાઇ દેશીને વાત કહી. તે તે એ જ રાહમાં હતા. તેમણે ઇશ્વરલાલ દેસાઇ નામના શિક્ષકની વ્યવસ્થા કરી દીધી, વ્યવસ્થા કરીને આ જિજ્ઞાસુ શિષ્યના હવાલેા આપ્યા.
For Private And Personal Use Only
ગુરુ હેાંશીલા હતા. શિષ્ય આકાંક્ષુ હતા. ડૉ. ભાંડારકરરચિત સંસ્કૃત માર્ગોપદેશિકા શરૂ કરવામાં આવી. કિઠન લેખાતી ગિર્વાણગિરા આ શિક્ષક ને વિદ્યાથીની સહિયારી મહેનતે સરલ કરી નાખી. ટૂંક સમયમાં માર્ગીપર્દેશિકાના પ્રથમ ભાગ સંપૂર્ણ થયા. દાશી નથ્થુભાઈનુ મન આ પ્રગતિથી હર્ષોં પામ્યું'. એમણે શિક્ષકને ૨૫ રૂપિયાનું નામ આપ્યું.
'