SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમન્નાંનાં તપ જવા કહ્યું. વ્યવસ્થા પણ થઈ. સંધ્યાકાળે જૈન વિદ્યાર્થીઓ ભેજનાદિથી નિવૃત્ત થઈ ત્યાં ધાર્મિક અધ્યયન માટે આવતા. જાની રવિશંકર લક્ષ્મીરામ નામના અધ્યાપક ભણાવતા હતા. ઉદારતાથી ઓપતું એમનું જ્ઞાન હતું. બ્રાહ્મણ ને જૈનઃ બિલાડી ને ઊંદરના અભિનિવેશ એમને હૈયે છખ્યા નહોતા. માણસની પવિત્રતા-નિર્મળતા જ મુક્તિદાતા છે, પંથ ગમે તે હોય. ભાવિના એક જૈનાચાર્યો, વર્તમાન કણબી જુવાને, એક બ્રાહ્મણ ગુરુ પાસે, જૈનધર્મના મમરૂપ નવકાર મંત્રનું પહેલું ચરણ ઝીલ્યું. “નમે અરિહંતાણું.” અને અધ્યયન ગિરિનદીની જેમ વેગમાં ચાલ્યું. શિષ્ય ઉત્સાહી હતા. ગુરુ સહૃદય હતા, એક વાર શિક્ષકે બહેચરદાસને કહ્યું: “બહેચરદાસ, વિદ્યા એક પવિત્ર વસ્તુ છે. એને પ્રાપ્ત કરવા માટે સુવિચાર ને સુઆચારની જરૂર છે. જનધર્મના મર્મ સમી આ વિદ્યા શીખવા માટે સુવિચાર તમારામાં અવશ્ય છે, સુઆચાર પણ સાથે હોવા જરૂરી છે.” સુઆચાર ” સદાચારમાં માનનાર ને વર્તનાર બહેચરદાસને આશ્ચર્ય થયું. હા, સુઆચાર! તમે રોજ રાત્રિભૂજન કરે છે ને લસણ-ડુંગળી ખાઓ છે. જેનોનાં ધર્મશાસ્ત્રના અધ્યયન કરનારે એ તજવાં ઘટે.” આજને જૈનેતર બાળક આ વિધાન સામે મોટી પ્રશ્નોત્તરી ખડી કરે. કેવળ બુદ્ધિવિલાસના યુગમાં શિક્ષક કદાચ સે ટકાનું સમાધાન પણ ન કરી શકે; પણ એ કાળ તે શ્રદ્ધાનો હતા, તેઓ માનતા કે દયા મx, ન વસું સૂવા ! આજન્મ લસણ-ડુંગળીના ભેગી, રાત્રિભોજન જેમને ધંધાની દષ્ટિએ અનિવાર્ય એવા બહેચરદાસે મુશ્કેલીનો વિચાર કર્યા વગર એ વિધાન સ્વીકારી લીધું. વિધાન સ્વીકાર્યું એટલે ખાંડાની ધારે પાળવું. પણ જો બાળક માટે જે અતિ સુકર હતું, તે પટેલ પુત્ર માટે અતિ દુષ્કર હતું. મોટે ભાગે રસેઈમાં ડુંગળીનું શાક ને લસણને વઘાર હેય. અરે, કેટલીક વાર રોટલા સાથે ખાવા માટે લસણની ચટણી જાય. વળી એ ભજન કંઈ પાંચ-સાત વાનીએથી ભરપૂર નહોતું. બે ચોજ કે ત્રણ ચીજ ! કેટલીક વાર છાશ ને રોટલાથી જ પતાવી લેવું પડતું. લસણ-ડુંગળીના પ્રશ્ન કરતાં રાત્રિભેજનનો પ્રશ્ન વધારે ઉગ્ર હતો. રાત્રિ સિવાય ભજનની બીજી સગવડતા નહતી. આખરે સવારને રોટલો રાખી મૂકવાનો નિર્ણય કર્યો. સાંજે નિશાળેથી છૂટતાંની સાથે ઘેર આવી રોટલો ને લાલ કે લીલું મરચું-જે મળે તેથી ભેજન પતાવી લેવાનું. કંઈ ન મળે તે કાચા ઘઉં, કાચી બાજરી, બેચાર મૂઠી મઠ કાચા ને કાચા ચાવી પાણી પી લેતા. કેકવાર આ ભજનમાં બાફેલી પાપડી હાથ ચડી જતી, કેકવાર પંખ આવી મળતો ત્યારે તે બસ બસ થઈ જતું. અજીર્ણ, અપ, મંદાગ્નિ એ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy