SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ ગનિષ્ઠ આચાય ને છતાં એંશી વર્ષના ડોસા ૧૨ા ગાઉ ચાલતાં ન થાકતા. મહેનત-મજૂરીથી ન કે ટાળતા. મણ બેમણના વજન માટે મજૂર કરે શમભરેલું લેખતા. અરે, એ વેળા મજૂર જે ન મળતા. તે મુખ્યત્વે બાજરીને રાક જ પ્રચલિત હતું. એ કાળની એક જૂની કહેવતમાં એના ગુણ રજૂ થાય છે. ઘોડે પાંખો આવીયું, બુઢા થયા જુવાન; બલિહારી તુજ બાજરી, જેનાં લાંબા લાંબા પાન, ” બાજરી ઘોડાને પાંખે આપતી ને બૂઢાને જુવાન બનાવતી. જુવાનને તે જોમ દિલમાં માતાં નહોતાં. પિષણના અભાવનું દર્દ તેઓએ કદી જાણ્યું નહોતું. એ વેળા જીવનમાં દવાનો સ્પર્શ ન કર્યો હોય તેવા સોમાં નવાણું જણ મળતા.૪ આજે જેમ સોએ એક જણ પણ મહામહેનતે શોધ્યો જડે તેમ. દવાથી તેમને અત્યંત અરુચિ હતી. ને દવા જ ન હોય પછી વૈદ્યો બિચારા કયાંથી હોય. દશ દશ ગામ વચ્ચે એકાદ વૈદ્ય વસતે, બાકી તો ડોસીમાઓ વૈદુ જાણતી, જતિઓ વૈદુ જાણુતા, ગેર થોડાંઘણાં ઓસડિયાં રાખતા. સર્જરી-વાઢકાપનું કામ વાઘરી ને ગાંયજા કરતા. ડામ એ તે મહાઔષધ લેખાતું. જળો એ રકતરોધક મનાતી. ખેતરોમાં ઊગતી વનસ્પતિ ઔષધિ લેખાતી. આ ગુજરેલી પ્રથાના માનવી બહેચરદાસ બાજરાના રોટલા ને વાળના શાકનું બાદશાહી જમણ જમી, બે વાગતાં વાગતાં તે નિશાળમાં પાછા હાજર થઈ જતા. સાંજે છૂટયા પછી સમવયસ્કો સાથે તળાવે સ્નાન કરવા જવું કે રમત રમવી વગેરેને કાર્યક્રમ રહેતું. આજે ઘેર ઘેર પ્રચલિત સવારનું સ્નાન ને સવારના ચા-પાણી એ વેળા ઓછાં પ્રચલિત હતાં, ને કદાચિત ઉચ્ચ કુટુંબોમાં જ દેખાતાં. આ પછી બહેચરદાસ ઘેર જતા. ઘરનું થોડું કામકાજ પતાવી રાતે ભાત લઈ ખેતર જતા. ઘણી વાર ખેતરે જ સૂતા. પણ સવારમાં નિશાળે જવાનું હોવાના લીધે મોડી રાતે ઘેર આવતા. માર્ગમાં કયાંય ભજનવાણી ચાલતી હોય તો અચૂક લાભ લેવાતા. રાતે ગગનદર્શન થોડી વાર ચાલે ત્યાં તો આંખ મીંચાઈ જાય, ને આંખ ઊઘડે એટલે ઊઠવા વેળા જ હોય. વગર ઘડિયાળે સમયદર્શન થાય. આ કાર્યક્રમમાં ગુરુદેવ શ્રી રવિસાગરજી ભેટયા ને કિંચિત પરિવર્તન આવ્યું. આ કિંચિકર પરિવર્તન એક મહાન પરિવર્તન નોતરી લાવવાનું હતું. પણ એ વેળા એની કલ્પના આવવી પણ સંભવિત નહોતી. દિલમાં જાગેલી પ્રભુદર્શનની પ્યાસ માટે ગુરુદેવે વિદ્યાશાળામાં વિદ્યાધ્યયન માટે એક અમારા યુ. પી. ના શિક્ષક તાજેતરમાં અમને મળવા આવેલા. અમે એમને ચા ધરી. તેમણે કહ્યું: “ નામું વહત મા નદf 1 ( કહે, જીવનમાં ચાખી પણ નથી.) કેરી માટે આગ્રહ કર્યો. “ હોતી ' (ઊલટી થાય છે.) સડા લેમન માટે તો તેમને ઘણું જ હતી. દૂધ માટે કહ્યું: તો કહે “fમાર સત્તા હૂં તવ ના દંશ આખરે એમણે એક લોટો ભરીને શુધ્ધ જળ માગ્યું ને ઊંચેથી ગટગટાવી ગયા. બાર વર્ષથી તેમણે ટેમ્પરેચર (તાવ) જાણ્યું નથી.—લેખક For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy