________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને પામવાની ઝંખના
એક વાર શિક્ષકે બહેચરને કહ્યું : “માત્ર એકલે. વિચાર કામ નથી. વિચારમાં આચારની સુવાસ ભળવી ઘટે. જેવો વિચાર, તેવો આચાર જોઈએ. આ અભ્યાસથી તારું અંતર નિર્મળ બન્યું છે. તારી ભાવનાઓ ઊર્ધ્વ બની છે. તારા આદર્શો સત્યશોધકના બન્યા છે, પરંતુ આ વિચારની આથે આચાર પણ ભળવો જોઈએ.”
બહેચરે આતુરતાથી પૂછયું, “ગુરુજી! આપની વાત સાવ સાચી. વિચારની ખિલાવટ આચારમાં થાય તે જ એ વિચારની સાર્થકતા. પણ આપ આ બધું મને શા માટે કહે છે, તે સમજાતું નથી.”
ગુરુએ કહ્યું, “તારામાં સુવિચાર જરૂર છે, પણ એની સાથે સુઆચાર હોવા જોઈએ.
સુઆચાર એટલે શું? સદાચારની વાત સાંભળી છે. સદાચાર આચરવાને યતન પણ કરું છું, પણ આ સુઆચારની મને ખબર નથી.”
For Private And Personal Use Only