________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી એનાં મનોબળ અને શરીરબળનાં વખાણ કર્યા. અંતે એમ પણ કહ્યું કે, આવા જુવાને ધારે તે કરી શકે છે.
બહેચર તો મનોમન મૂંઝાતે હતો. એને હવે શું કરવું તે સમજાતું નહોતું અને મહારાજશ્રી તો કહે છે આ યુવાન ધારે તે કરી શકે એવે છે! એને થયું કે કેવી નમ્રતા ! મારા રાઈ જેવડા કામને કેવું પર્વતસમું મોટું કરી બતાવે છે !
વ્યાખ્યાન પૂરું થયું. શ્રાવકો વીખરાયા. બહેચર ગુરુની પાસે ગયો. એમના પગની રજ માથે ચડાવીને એણે કહ્યું : “ગુરુ મહારાજ ! આ સંસારથી તો હવે, હું થાક્યો છું. પણ શું કરવું એની મને કશી સૂઝ પડતી નથી. સાચો માર્ગ મેળવવા મારે શું કરવું જોઈએ?'
ગુરુ કરવા જોઈએ.’
તો આપ જ મારા ગુરુ. હું વળી ગુરુ શોધવા. બીજે કયાં જાઉં? આપની વાણી સાંભળી. મારે
For Private And Personal Use Only