________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબાલની આંતરડી
૬૩
લઈ જઈ ઢોરને વહાલથી ધમારે.
એમાંય બહેચરને એક વાછડે તો ખૂબ વહાલો. વાછડે એવો કે બહેચરને જુએ એટલે દોડીને એની પાસે પહોંચી જાય. અના શરીર સાથે નાની નાની શિંગડીઓ ઘસે. ક્યારેક લાડમાં ફરવા લાગે.
એક દિવસ એ વાછરડાને ગામ બહાર દેરી જવામાં આવ્યો. એને ખૂબ કસીને ઝાડ સાથે બાંધ્યો. સહેજે હાલે–ચાલે નહિ તે રીતે એને દોરડાં વીંટાળ્યાં.
બહેચર નિશાળેથી ઘેર આવ્યો, આવીને ગમાગુમાં જોયું તે વાછરડે ન મળે. પોતાનો ખ્યારે વાછરડો કયાં ગયે ?
બહેચરે ઘરનાને પૂછ્યું તો જવાબ મળ્યો કે એને ગોધલો બનાવવા લઈ ગયા છે.
બહેચરે ગોધલા તો ઘણું જોયા હતા, પણ ગોધલા કેમ નીપજતા હશે એની એને કશી ખબર નહોતી. બહેચરે તો દોટ મૂકી. ગામની સીમ વટાવી.
*==
BEILINE
For Private And Personal Use Only