________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી દેખતાં ફરી જાળ નાખીશ નહિ.”
માછીમાર પર સૂરિજીની વાતની કોઈ અસર ન થઈ. એમને હુકમ માનવાની એને શી જરૂર ? માછીમારને અવળચંડાઈ સૂઝી. એણે પોતાની જાળ વધુ પહોળી કરી.
સૂરિજીએ એક કાંકરી લઈને પાણી તરફ ફેંકી અને બોલ્યા : “ખેર, તારે જાળ નાખવી હોય તો નાખ. પહોળી કરવી હોય એટલી પહોળી કર, પરંતુ એમાં એકેય માછલી આવશે નહિ.”
માછીમાર હસી પડ્યો. સૂરિજી તો કાંઠે કલાક સુધી નજર ઠેરવીને ઊભા રહ્યા. માછીમારે માછલું સપડાવવા ઘણી માથાકૂટ કરી, જાળને ખૂબ ફેરવી પણ ખરી. પણ લાંબી મહેનતને અંતે જાળ કાઢીને જુએ છે તો જાળમાં એક નાનું માછલું પણ એને જોવા ન મળે. માછીમારને થયું કે નકકી ડાઈ યેગી લાગે છે. દોડીને એમને પગે પડ્યો અને કહ્યું:
al
's
For Private And Personal Use Only