________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
બાળકના બુદ્ધિસાગરસૂરિજી માતા-પિતા ચાર-પાંચ દિવસના અંતરે સ્વર્ગસ્થ થયાં. એનો આઘાત ઘણે વસમે હોય છે, પણ તમારા જેવા ભણેલાને હું વધુ શું કહું? હવે તમે શું કરશો?
“બહેન, હવે કદી ન મરે તેવાં મા–બાપ કરીશું.'
વીજીબહેન બહેચરદાસની વાત સમજી શકયાં નહિ. એમણે તરત પૂછી નાખ્યું, “અરે, કદી ન મરે એવાં મા–બાપ તે વળી હોતાં હશે?”
હા બહેન, એવાં મા-બાપ હોય અને તે છે શુદ્ધ પરિણતીરૂપ માતા અને શુદ્ધ ઉપગરૂપ પિતા.”
બહેચરદાસ કોઈ જુદી માટીના માનવી હતા, કોઈનોખા મલકમાં વસનારા હતા. ધ્યેયની પાછળ દીવાના બન્યા વિના દિવ્યતાની પ્રાપ્તિ કયાંથી થાય ?
વીજીબહેન ભાઈના જવાબથી ચમકી ગયાં. એમણે કહ્યું : “તો શું તમારી ઈચ્છા ચારિત્ર લેવાની
s
For Private And Personal Use Only