________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwwwwwwwwwwww
રડવું શાને? શાક કેને?
૧૨૭ પછી કુટુંબીજને એકઠાં થવા લાગ્યાં. ગામના મેવડીએ આવ્યા. કેટલાક નાતવાળા આવ્યા. સમાજ તે કહેતા હતા કે બાપની પાછળ બહેચરદાસે હૈયાફાટ રૂદન કરવું જોઈએ ! માથે લૂગડું નાખીને મોટી પિક મૂકવી જોઈએ. બીજાને લાગે કે બાપને માટે કેટલી લાગણી છે! રડ્યા પછી કઈ છાનું રાખવા આવે, તે ય રડવાનું ચાલુ રાખવું જોઈએ ! બીજા વધુ માણસે ઊભા થાય. છાના રાખવા આવે ત્યારે શાંત પડાય !
બહેચરદાસ કંઈ આવું માને ખરા ? જીવનની પળપળ જાગૃત બનીને જીવનાર કોઈ પણ કામ વિચાર્યા વગર કરે ખરા ! એ તો શાંત બેસી રહ્યા. ન માથે લૂગડું ઢાંક્યું કે ન પાક મૂકી !
રિવાજ તો એમ કહે કે બહેચરદાસે માથે લુગડું નાખી પોક મૂકવી જોઈએ અને લોકોએ મનાવીને એમને શાંત પાડવા જોઈએ. પણ અહીં તો
For Private And Personal Use Only