________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરને ધર્મ અંગારા વરસાવવા લાગી. એમણે સણસણતો જવાબ વાળ્યો અને કહ્યું : “જન ધર્મ એ તો વીરોને ધર્મ છે. કાયરનકે લાચારને નહીં. જેને પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ લાચાર કહેવાય. એને જન કેમ કહેવાય ? પારકાના એશિયાળા બનીને જીવવા કરતાં તો મરી જવું બહેતર છે.”
મેદનીમાંથી એક જેને પૂછયું: “માસ્તર સાહેબ, જૈન ધર્મ એ તો અહિંસાનો ધર્મ. તમે આ હિંસક શસ્ત્ર સાથે બહાર પડ્યા, તેને અમને અફસોસ છે.”
“અફસેસ તો મને થાય છે. જીવદયાના બહાના હેઠળ અને અહિંસાના ઓઠાં હેઠળ તમે તમારી કાયરતાને ઢાંકવાની કોશિશ કરે છે એ જોઈને ! તમારી લાચારી અને ભીરુતાને આવી છેટી રીતે પંપાળશે મા ! આ ઘર, આ દુકાને, આ ઉપાશ્રય અને આ દેરાસરની શી રીતે રક્ષા કરશે ? કયારેય ઈતિહાસ વાંચ્યો છે ખરો ? અઢાર અઢાર મહાન
For Private And Personal Use Only