________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦રે.
બાળકના બુદ્ધિસાગરસૂરિજી ભવવા લાગ્યું. જનમભેમનો વિરહ સતાવવા લાગ્યો. આ વાડી, આ ઝાડી, આ ભૂતિયા ટાળીના સાથીઓ, પિતા સમાન નથ્થુભાઈ અને માતા સમાન જડાવકાકી ! મમતાના આ મહાસાગરોને છોડવા મન આનાકાની કરતું હતું. માતાથીય અધિક જડાવકાકીની કેટકેટલી ઇચ્છાઓ આજે ખાખ થતી હતી! એમનાં સ્વપ્ન તો કઈ જુદાં જ હતાં. છોકરો પરણે, ઘર માંડે અને વેપાર કરે ! આજે એ બધું મૂકીને ધાર્મિક માસ્તર બનીને પરગામ જતા હતા. હાથેરાંધશે, હાથે કપડાં ઘોશે. એને માથું દુખશે તો કોણ ખબર પૂછશે?
બહેચરને માટે જાની મગનલાલ લક્ષ્મીશંકરે મુહૂર્ત કાઢી આપ્યું. જવાને બે દિવસ બાકી રહ્યા એટલે બહેચર સેબતીઓને મળવા માંડ્યો, પાળેલાં પશુઓ સાથે ગેલ કરવા લાગ્યો, ઘરનાં બળદ અને ભેંસ સાથે વહાલ કરી લીધું. પોતે રોપેલાં વૃક્ષોની
S
For Private And Personal Use Only