________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) રની બહાર કેટલાક પ્રદેશે રહેતા નથી, તેમજ મોટું શરીર પ્રાપ્ત થતાં શરીરમાં કેટલોક ભાગ પ્રદેશ વિનાને રહેતું નથી. હાનું મોટું શરીર પ્રાપ્ત થતાં આત્માને એક પ્રદેશ પણ ઘટતું નથી તેમ એક પ્રદેશ પણ વૃદ્ધિ પામતું નથી તેથી નીચેનું વેદાન્ત સૂત્ર અસત્ય ઠરે છે. पूर्व पक्ष-नच पर्यायादप्यविरोधो विकारादिभ्यः ॥३५॥
. ૨ . ૨ . વિકારાદિ દોષથી પર્યાયથી પણ અવિરેધસાધવે શક્ય નથી, વિકારાદિદોષના પ્રસંગથી કમવડે અવયના આગમથી તથા અપાયથી પણ જીવનનું મધ્યમ પરિણામપણું અવિધ વડે સિદ્ધ કરવું અશકય છે. અવયના આવવા તથા જવા વડે નિરંતર વૃદ્ધિ પામતા તથા ક્ષીણું થતા જીવનનું વિક્રિયાવાળાપણું અપરિહાર્ય છે. જીવનમાં આવનારા અવયવો ક્યાંથી પ્રાદુર્ભાવ પામે છે અને જીવના જનારા અવયવે ક્યાં લય પામે છે. એ પણ તમારે દર્શાવવું જોઈએ. उत्तरपक्ष-३५ वेदान्तसूत्र खंडन तथा शंकरपक्षखंडन रूप उत्तर.
અમે પૂર્વે કહી આવ્યા છીએ કે આત્માના અસંખ્ય પ્રદેશરૂપ ભૂલ દ્રવ્યમાં કોઈ જાતને વિકાર થતો નથી કે જેથી આત્માનું પ્રદેશરૂપ મૂલ દ્રવ્ય નષ્ટ થઈ જાય. દુનિયામાં એવી કોઈ વસ્તુ વા એવું કઈ બળ નથી કે જે આત્માના પ્રદેશને ક્ષય કરે વા એક નવ પ્રદેશ વધારે. શંકરાચાર્ય તથા વેલન્ત વ્યાસે દીપકના પ્રકાશ જેવા આત્માના પ્રદેશ ધારીને તેનું ખંડન કરવા પ્રયત્ન કર્યો છે પણ આત્માના અસંખ્ય પ્રદેશો કંઈ દીવાના પ્રકાશના પ્રદેશ જેવા રૂપી નથી તથા દીવાના પ્રકાશના પ્રદેશની પિઠે હાનિ વૃદ્ધિને પામતા નથી તેથી આત્માના અસખ્ય પ્રદેશમાં હાનિ વૃદ્ધિરૂપ વિકાર પ્રાપ્ત થતું નથી કે જેથી આત્માના પ્રદેશનું કાર્ય પણું થઈને તે વિનશ્વર થઈ જાય. અનાદિકાળથી સપ્રદેશ આત્મા છે તેથી તે નિત્ય છે. જેમ બ્રહ્મ અનાદિકાળથી છે અને અનંતકાળ પર્યરત રહેવાનું તેમાંથી કંઈ જતું નથી અને નવું આવતું નથી. તેમ બ્રહ્મ સ્વરૂપ સંપ્રદેશ આત્માના પ્રદેશે અનાદિકાળના છે તેવા કેઈ સ્થાનથી તે આવ્યા નથી. અનાદિકાળના છે અને તે અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ પ્રદેશ ઘટીને કઈમાં દીપકના પ્રકાશની પેઠે વિલય પામી નથી. એમ દર્શાવીએ છીએ.
For Private And Personal Use Only