SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૧) शंकराचार्य पूर्वपक्ष. જીવના અવયવમાં શું પ્રત્યેક અવયવ ચૈતન્ય રૂ૫ છે? અથવા તેને સમૂહ ચૈતન્યરૂપ છે? પ્રત્યેક અવયવ ચૈતન્યરૂપ છે એમ કહો તે એક શરીરમાં ઘણું ચૈતન્ય થવાથી બધાના એક અભિપ્રાયના અનિયમપણથી પરસ્પરના વિરોધને લીધે શરીરને નાશ થશે. સમૂહને ચૈતન્યરૂપ કહે તે હાથીના શરીરના જીવને કીડીના શરીરની પ્રાપ્તિ થયે કીડીના શરીરમાં બધા અવયવોને પ્રવેશ થઈ શકશે નહિ, તે માત્ર બે ત્રણ અવયવોને પ્રવેશ થવાથી પૂરી ચેતનતા પ્રાપ્ત નહિ થાય. પૂર્વોક્ત દેના લીધે આભાના અવયવોનું આવવું તથા જવું એ સ્વીકારી શકાય તેમ નથી. शंकराचार्यपक्षनुं खंडन. જીવના અવયવો નથી. આત્માના પુદગલકની પેઠે અવય નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રત્યેક પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન રહેલા છે. એક પ્રદેશની પેઠે સર્વ પ્રદેશોમાં અનંતજ્ઞાનદર્શન રહેલ છે. સર્વ અસંખ્ય પ્રદેશમાંથી ભેગે જ્ઞાનદર્શનને એક ઉપયોગ થાય છે પણ ભિન્ન ભિન્ન પ્રદેશનું ભિન્ન ભિન્ન જ્ઞાન પરસ્પર વિરૂદ્ધ થતું નથી. સર્વ પ્રદેશોમાંથી એક વખતે એક સરખું એક જ તાં જ્ઞાન પ્રગટે છે તેથી એક શરીરમાં અસંખ્ય પ્રદેશરૂપ આભા રહેવાથી એક શરીરમાં ઘણું ચૈતન્ય ભિન્નભિન્ન પ્રગટતાં નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે તે એક શરીરમાં રહે છે પણ તેથી કંઇ પ્રતિ પ્રદેશે ભિન્ન ભિન્ન જ્ઞાન પ્રગટતું નથી પણ સર્વ પ્રદેશમાંથી ભેગું થઈને એક સરખું જ્ઞાન પ્રગટે છે. સર્વ પ્રદેશ મળ્યા વિના જ્ઞાન પ્રગટતું નથી એ નિયમ હોવાથી તમારા કહેલા દેશની પ્રાપ્તિ થતી નથી. આત્માના અસખ્ય પ્રદેશે જ્ઞાનાદિ ગુણમય છે માટે અસંખ્ય પ્રદેશને સમૂહ ચૈતન્યરૂપ છે તેથી હાથીના શરીરમાંથી કીડીના શરીરમાં આત્માને પ્રવેશ થવાથી કંઇ દોષ આવતો નથી. હાથીના શરીરમાં રહેલા આત્મપ્રદેશને કીડીના શરીરમાં આવતાં કોઈ જાતને વિરોધ આવતો નથી. આત્માના પ્રદેશોમાં કમના વેગે સંકોચ વિકાસપણું થાય છે તેથી હાથીના શરીરમાં રહેલા સવે આત્મ પ્રદેશો છે તે કીડીના શરીરમાં સારી રીતે માઈ શકે છે. દીવાના પ્રકાશ કરતાં અરૂપી એવા આત્માના છે તે હાથીના શરીરને વ્યાપીને રહે છે અને કર્મથી કીડીનું શરીર પ્રાપ્ત થતાં તેમાં સમાઈને રહે છે. ઉપર For Private And Personal Use Only
SR No.008534
Book TitleAtma Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy