SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ દિગંબરે (જેને) માને છે. જે શરીરના પ્રમાણુ જેટલો જવ છે તે તે જીવ પરિરિસ્કન હેવાથી ઘટાદિની પિઠે અનિત્ય થશે. નાના બાળકને જીવ તેના શરીર પ્રમાણે છે. મેટો થતાં શરીર પૂલ થતાં તે બાળકના શરીરને કેટલોક ભાગ નિર્જીવ રહેશે. જેમ દીવાના અવયવોને ઘટમાં સંકેચ અને ઘરમાં વિકાસ થાય છે તેમ જીવના અવયવોને નાના શરીરમાં સંકોચ અને મોટા શરીરમાં વિકાસ થાય છે એમ કહે તે અમે પુછીએ છીએ કે જીવના અવયવે ભિન્ન દેશમાં રહેલા છે કે એક દેશમાં રહેલા છે? જે ભિન્ન દેશમાં રહેલા છે એમ કહે છે જેમ ઘડાની બહારના દીપના અવયવો નાશ પામે છે. તેમ નાના શરીરમાં જીવને પ્રવેશ થાય છે ત્યારે તેના વધારાના બીજા અવયવો નાશ પામે છે. એમ કહેવું પડશે ને તેથી વિકારી જીવ નાશવાન કરશે. અવયવોને નાશ નથી થતું પણ તે સંકોચ પામે છે એમ કહે તે ઘટમાં સંકોચ પામેલા દૌપના અવયથી જેમ ઘટમાં ઉમા તથા પ્રકાશ વધે છે. તેમ મોટા શરીર કરતાં નાના શરીરમાં જીવનું પ્રાબલ્ય વિશેષ જોઈએ પણ તેમ તે જોવામાં આવતું નથી માટે તે કથન પણ અસંભવ દોષવાળું છે, જીવના અનંત અવયવે એક દેશમાં રહેલા છે એમ કહે તે સર્વે અવયવોના શૂલપણુની અસિદ્ધિથી છવને અણુ પરિમાણની પ્રાપ્તિ થઈ તમારે મધ્યમ પરિમાણુપક્ષ નિવૃત્ત થઈ જશે. વળી શરીર જેવડા પરિછિન્ન જીવના અવયવોનું અનંતપણું કલ્પવું એ પણ અયુક્ત છે. ઉપર પ્રમાણે શંકરાચાર્યે કરેલા ખંડનનું આ સંબંધમાં નીચે પ્રમાણે મંડન કર્મ સહિત શરીરધારી આત્મા શરીરવ્યાપી છે-આત્મા શરીર વ્યાપ્ત છે. આત્માના અસંખ્યાત પ્રદેશ છે. પરમાણુઓ કરતાં આત્માનું જુદા પ્રકારનું સ્વરૂપ છે. પરમાણુઓ રૂપી છે અને આત્મા અરૂપી છે. પરિમાણુના કરતાં પણ આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ છે. જેનાગમાં આત્માના પ્રદેશોનું સ્વરૂ૫ સારી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જૈનશાસ્ત્ર આત્માના અવયવોને સ્વીકાર કરતાં નથી. પરંતુ આત્માના પ્રદેશને સ્વીકાર કરે છે. અવયવો પરસ્પર જુદા પડે છે પરંતુ આત્માના પ્રદેશ અરૂપી હોઈ એક બીજાથી ત્રણ કાલમાં જુદા પડતા નથી. આત્મા પ્રદેશ સહિત છે એમ વેદ શ્રુતિથી સિદ્ધ થાય છે જુઓ નીચે પ્રમાણે વેદ મુતિને પાઠ કરામાત્ર ૬ શૈલેવાઃ સુવિદિતામિલનાડ (પૂર્વ કાલમાં દેવ આત્માનેપરમાત્માને પ્રદેશ માત્ર રૂપે જાણતા હતા. તથા આત્માના પ્રદેશ સાથે અભેદભાવને પામતા હતા. ) આ વેદશ્રુતિની પૂર્વે તીર્થકરોએ પ્રદેશ સ્વરૂપ For Private And Personal Use Only
SR No.008534
Book TitleAtma Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy