________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) આશ્ચર્ય નથી. અદશ્ય તની વ્યાખ્યામાં જેટલા અંશે તેને અનુભવ સત્ય જણાય તેટલા અંશે તેની સત્યતા રૂપ વેદતા સ્વીકારવી. વેદોમાં, ઉપનિષદોમાં આગમોમાં જે જે અંશે જે જે સત્ય જણાય તેને દરેક મનુષ્ય સ્વીકાર કરે પણ મત પક્ષકાગ્ર દૃષ્ટિથી સત્યનો અપલાપ ન કરવો જોઈએ.. આત્માનું જ્ઞાન અને આત્માને સત્યાનંદ એ મહાન વેદ છે. આત્માની જીવંત શક્તિ પ્રાપ્ત કરવી તે જીવતા વેદે છે. જેનામાં આત્માની શક્તિ પ્રગટાવવાની શક્તિ નથી તે મૃતવેદો કરતાં જીવતા વેદો જે જે કાલે જે જે ક્ષેત્રે હેય છે તે તે અનંતગણ ઉત્તમ હોય છે. ગમે તે નામથી પુસ્તક સંબોધાતાં હેય પરંતુ તેમાં રહેલું સત્ય ખાસ જાણવું જોઈએ: દેશની, કોમની, સંઘની, સમાજની, આદિ સર્વની રક્ષા ઉન્નતિ પ્રગતિ જે જે પુસ્તકેથી વિચારથી પ્રવૃત્તિથી થાય તે તે વેદ છે એમ વેદને વ્યાપક અર્થ ગ્રહો જોઈએ. વેદના કાવ્યમાં વિશાલ દષ્ટિથી જે જે વિચારે જણાવ્યા છે તે તે વિચારો પ્રમાણે વેદ વગેરે ધર્મશાસ્ત્રની અમારી માન્યતા છે. કોઈ શાસ્ત્ર પર રાગ વા કે શાસ્ત્ર પર દ્વેષ નથી. મનુષ્યના જ્ઞાનબળે શાસ્ત્ર પ્રકટ થયાં છે તેમાંથી સત્ય ગ્રહણ કરવું પરંતુ પક્ષપાત ધારણ કરવો નહીં. અપેક્ષાએ વેદે પિય છે અને અપેક્ષાએ વેદે અપાય છે એમ અપેક્ષાએ વિચારાય છે. શબ્દોત્પત્તિની અપેક્ષાએ વેદો પરૂષય છે અને અનાદિ જ્ઞાનની અપેક્ષાએ વેદો અપરૂષય છે. ઈત્યાદિ અનેક અપેક્ષાઓએ સમજવું. અનેક નય દષ્ટિોને વેદ કહેવામાં આવે છે. અનેકાન્ત વાદ રૂપ વેદ જ્ઞાનથી સર્વ વેદનું સત્ય સ્વરૂપ સમજાય છે. ઇત્યાદિ વેદ માન્યતા સંબંધી સમજવું.
વેદમાં જે કંઈ દે-સમાજ વગેરેને માટે ઉપયોગી સત્ય છે તે ગ્રાહ્ય છે. ઉપનિષદો, પુરાણો, બાઈબલ, કોરાન, તોરાત, પારસીઓના ધર્મગ્ર અને બહેના ધર્મગ્રન્થોમાં આત્માનું જ સ્વરૂપ પ્રતિપાદન કર્યું હોય તેને મધ્યસ્થ ભા સત્ય દૃષ્ટિથી સાર ખેંચવું જોઈએ. સર્વદર્શનમાં આત્માનું અને પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે, પરંતુ તેમાં પરસ્પર જે વિરોધ દેખાય છે તેને સાપેક્ષ દષ્ટિએ ટાળનાર અને સર્વ દર્શનેને પરસ્પર સાપેક્ષભાવે સંબં. ધિત કરનાર જૈનદર્શન છે. જેનદર્શનમાં ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માના ક્ષણિક આત્મવાદને, વેદાન્તના નિત્ય આત્મવાદ સાથે જોડી દેવામાં આવ્યો છે. ખરૂં કહીએ તે શ્રી મહાવીર પ્રભુએ સર્વદર્શનો રૂ૫ દષ્ટિમાં એકાંતે થતા દોષોને ઉદ્ધાર કરવા માટે જેનધર્મના
For Private And Personal Use Only