________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સમતા સરલતાના વિચારે વેદ છે નિશ્ચય કહ્યું, નિઃસ્વાર્થતા મન શુદ્ધતામાં વેદ હાર્દ જ મેં કહ્યું; ચારિત્ર સંયમ વેદ છે સહુ વેદમાં શિરોમણિ, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
કાયરક્ષાકારકા અવધૂત મુનિ જે દિસે, લલના પરિગ્રહ ત્યાગીની, પાસે ખરા વેદો વસે, જે ઉન્મનીભાવે રહ્યા તે વેદ ઉપયોગી મણિ, એવી અમારી વેદની છે, માન્યતા નિશ્ચય ખરી. રત્નત્રયીથી કર્મની સત્તા ટળે છે ભવ્યને, જેના પ્રકાશે સજજને કરતા રહે કર્તવ્યને; એવું કથેલું વેદ છે નિશ્ચય જણાવું છું ભણું, એવી અમારી વેદની છે, માન્યતા નિશ્ચય ખરી. આત્મા વિભુ ચેતન કહે કે બ્રહ્મ આદિ નામ જે, બ્રહ્મા કહે હરિહર કહે અલા ખુદા ગુણધામ જે; પરબ્રહ્મ નારાયણ કહે સ્યાદાદ સાપેક્ષા ધરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. તીર્થ કરેની વાણીમાં પ્રભુ નામ સર્વ સમાય છે, સાપેક્ષનયવચને વિષે વેદો સમાઈ જાય છે; શ્રદ્ધા અમારી તાદશી વ્યાપક વિચારો ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે વિશ્વવ્યાપક સવિચારે વેદ તે વ્યાપક ભણ્યા, સહુ જાતની ભાષાવિષે સહુ દેશમાં જાતા ગણ્યા; માને ખરા એ વેદને દિલ સત્ય વાત નીકળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
જ્યાં ત્યાંથી આવી ને ભળે સાગરવિષે નદીઓ સહુ, સાગરવિષે નદીઓ રહી સરિતામાં સાગર કંઈ લહું; શ્રી જૈન શાસનમાં રહ્યા છે વેદ વ્યાપક ઇશ્વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વ્યવહારની શુભ રીતિ તે વેદ સઘળા ધારવા, સહુ દેશ ભાષા કાલમાં વેદો થતા અવધારવા
For Private And Personal Use Only